પહેલી T20માં જીત છતા બૂમરાહે આ સુધારાની કરી વાત, IPLને લઇ બોલ્યો કે....

ભારતીય ટીમે આયરલેન્ડ સામેની ત્રણ મેચોની સીરીઝની પહેલી ટી20 મેચમાં જીત હાંસલ કરી છે. જોકે, વરસાદને કારણે આ મેચ આખી રમાઇ નહોતી અને ડકવર્થ લુઈસના નિયમ અનુસાર ભારતીય ટીમને 2 રને જીત મળી. ભારત માટે આ મેચમાં બોલિંગની સારી શરૂઆત થઇ હતી. જોકે આયરલેન્ડે અંતમાં કર્ટિસ કેમ્ફર અને બેરી મેકાર્થીની મદદથી 139 રનનો સ્કોર કર્યો. એક સમયે આઇરીશ ટીમે 59 રને 6 વિકેટ ગુમાવી દીધી હતી. 31 રને તેમની અડધી ટીમ આઉટ થઇ ગઇ હતી. આ મેચ પછી કેપ્ટન જસપ્રીત બુમરાહે એક ખાસ વાત કહી. તેણે જીત છતાં ટીમમાં સુધારાની વાત કહી.

શું બોલ્યો બુમરાહ

ટીમની જીત બાદ બુમરાહે કહ્યું કે, જો તમે જીતી પણ જાઓ છો તો પણ અમુક જગ્યાએ સુધારાની જરૂર હોય છે. બધા આત્મવિશ્વાસથી ભરપૂર છે અને સારી રીતે તૈયારી કરી રહ્યા છે. જણાવીએ કે ભારતે મેચ જરૂર જીતી પણ અમુક સમસ્યાઓ હતી જે દૂર કરી શકી નહીં. તો IPLને લઇ બુમરાહે કહ્યું કે, આ ફોર્મેટમાં ખેલાડીઓના પ્રદર્શનમાં આઈપીએલથી ઘણી મદદ મળે છે.

ભારતીય ટીમ માટે બોલરોએ સારી શરૂઆત કરી. પણ પાછલા અમુક વર્ષોમાં એવું જોવામાં આવ્યું કે ભારતીય બોલરો ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરના બેટ્સમેનોને આઉટ કરી દે છે પણ નીચલા ક્રમના બેટિંગ ઓર્ડરની વિકેટ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આયરલેન્ડ સામેની મેચમાં પણ કંઇક આવું જ થયું. આ મેચમાં 59 રને 6 વિકેટ ગુમાવ્યા છતાં આયરલેન્ડ 139 રન બનાવી ગયું. ડેથ ઓવરમાં ભારતીય બોલરોની બોલિંગ લાંબા સમયથી ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને 19 અને 20મી ઓવરમાં વધારે મુશ્કેલી પડે છે. 20મી ઓવરમાં અર્શદીપે 22 રન આપ્યા. તો ઓપનિંગ જોડી પણ ફ્લોપ સાબિત રહી.

આ મેચમાં ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જાયસવાલ ઓપનિંગમાં ઉતર્યા. આ વર્ષે ટી20માં આ ત્રીજુ નવુ ઓપનિંગ કોમ્બિનેશન હતું, જે સફળ રહ્યું નહીં. આ ઉપરાંત તિલક વર્માની પોઝિશન બદલીને તેને 4ના સ્થાને 3 નંબરે મોકલવામાં આવ્યો અને તે પહેલી બોલે જ આઉટ થઇ ગયો. આ એવી બાબતો છે જેના પર ભારતીય ટીમને સુધારની જરૂર છે. આવતા વર્ષે જૂનમાં ટી20 વર્લ્ડ કપ થવાનો છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.