એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય ભારતીય ટીમ, નિર્ણય પર અડગ જય શાહ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે ચાલી રહેલી તકરાર હવે હજુ વધી ગઇ છે. BCCI સચિવ જય શાહે પુષ્ટિ કરી છે કે એશિયા કપ 2023 માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. હવે એશિયા કપ માટે એક ન્યૂટ્રલ વેન્યુ નક્કી કરવામાં આવશે. BCCIના આ નિર્ણયે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. આ અગાઉ રમીઝ રાજા BCCIના નિર્ણયને લઇને ઘણી વખત ટિપ્પણી કરી ચૂક્યા છે અને તેમણે ધમકી પણ આપી હતી.

BCCI સચિવ જય શાહ ACC મીટિંગ માટે બહરીન ગયા હતા. એક અખબારમાં છપાયેલા રિપોર્ટ મુજબ, જય શાહ એશિયા કપના નિર્ણયને લઇને અત્યારે પણ અડગ છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં જાય. એશિય કપ 2023 માટે એક ન્યૂટ્રલ વેન્યુ નક્કી કરવામાં આવશે. જો કે, તેન લઇને અત્યાર સુધી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. BCCIએ તેને લઇને કોઇ પણ પ્રકારની જાણકારી આપી નથી. રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા ચેરમેન નજમ સેઠીએ ઇમરજન્સી મીટિંગની માગ કરી હતી.

આ માગને એશિયા ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ માની લીધી હતી. આ કારણે જય શાહ બહરીન પહોંચ્યા છે. તેમાં એશિયા કપ 2023ને લઇને નિર્ણય થવાનો હતો. પાકિસ્તાન કિરકેટ બોર્ડે એશિયા કપ માટે લેવામાં આવેલા નિર્ણય પર આપત્તિ દર્શાવી હતી. તેના પર રમીઝ રાજાએ કહ્યું હતું કે જો ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાની ટીમ વન-ડે વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જાય અને આ વખત એશિયા કપ પણ પાકિસ્તાની ટીમ વિના જ રમવી પડશે.

એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી રાજનૈતિક તણાવના કારણે BCCIએ ટીમને મોકલવાની ના પાડી દીધી છે. આમ પણ પાકિસ્તાન હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લોકો ખાવા માટે ફાફા મારી રહ્યા છે. રિપોર્ટ મુજબ તેની પાસે માત્ર 18 દિવસ સુધી આયાત માટે બજેટ હતું. તો IMF પાસે પણ વિનંતી કરી રહ્યું છે. હાલમાં IMFની તે પાકિસ્તાનમાં જ ઉપસ્થિત છે. ખેર હવે જોવાનું એ રહેશે કે આખરે ACC મીટિંગમાં શું નિર્ણય થાય થે. શું એશિયા કપ 2023 પાકિસ્તાનમાં જ રમાશે કે પછી કોઇક બીજી જગ્યાએ.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.