ભારત સામે શરમજનક હાર બાદ છલકાયું જોસ બટલરનું દર્દ, જાણો કોના પર ફોડ્યો ઠીકરો

ઇંગ્લેન્ડને ભારત વિરુદ્ધ ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં 100 રનોથી હારનો સામનો કરવો પડ્યો. 29 ઓક્ટોબર (રવિવારે) લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટારગેટનો પીછો કરતા ઇંગ્લિશ ટીમ 34.5 ઓવરોમાં 129 રન પર જ સમેટાઇ ગઈ. આ ભારતીય ટીમની હાલના વર્લ્ડ કપમાં સતત છઠ્ઠી જીત છે. હવે ભારત 2 નવેમ્બરે મુંબઇમાં શ્રીલંકા સામે મેચ રમશે. આ મેચમાં ઇંગ્લેન્ડના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતને સીમિત 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 229 રન જ બનાવવા દીધા.

ઇનિંગ બ્રેક બાદ એમ લાગી રહ્યું હતું કે, ઇંગ્લિશ ટીમ 230 રનોના લક્ષ્યને હાંસલ કરી લેશે. પરંતુ મોહમ્મદ શમી અને જસપ્રીત બૂમરાહે અંગ્રેજોની નાવ ડૂબાડી દીધી. હાર બાદ ઇંગ્લિશ કેપ્ટન જોસ બટલરનું દર્દ છલકાઈ પડ્યું. તેણે હાર માટે બેટ્સમેનો પર ઠીકરો ફોડ્યો. જોસ બટલરે મેચની સમાપ્તિ બાદ કહ્યું કે, ‘ખૂબ નિરાશાજનક. 230 રનનો પીછો કરતા અમારી પાસે સારો અવસર હતો, પરંતુ ફરી જૂની કહાનીનું પુનરાવર્તન કર્યું. હું ઝાકળને લઈને સુનિશ્ચિત નહોતો, મારી અંદર અવાજ આવી રહ્યો હતો કે અમારે લક્ષ્યનો પીછો કરવો જોઈએ. અમે સારો દબાવ બનાવ્યો, અમે સારી બોલિંગ કરી, વિકેટ લીધી. જો તમે કહેતા કે અમે 230 રનનો પીછો કરી રહ્યા છીએ તો અમને તેનાથી ખુશી થતી.’

બટલર કહે છે કે, અંગત રૂપે હું થોડો દબાવ ઝીલવા માગતો હતો, એ સમયમાંથી પસાર થવા માગતો હતો અને પછી એક પાર્ટનરશિપ બનાવીને ભારતના મોમેન્ટને સમાપ્ત કરવા માગતો હતો. તે તમારા સ્કિલને પ્રતિબદ્ધ અને ક્રિયાન્વિત કરવા બાબતે છે. 230 રનનો પીછો કરતી વખત સ્કોરબોર્ડનો દબાવ નહોતો. આ એ ફેઝમાંથી પસાર થવાના પ્રયાસ કરવા બાબતે છે. આ સમયે અમે જે પણ રીતે પ્રયાસ કરી રહ્યા છીએ, તેમાં અમે ઓછા પડી રહ્યા છે.

બટલરે જણાવ્યું કે, મને લાગે છે કે અમારા ઉત્તર એક પોસ્ટકાર્ડ પર હશે. કેટલાક ટોપ ખેલાડી અને અમે પોતાના સર્વશ્રેષ્ઠથી ખૂબ પાછળ છીએ. પાવરપ્લેમાં શાનદાર શરૂઆત, બોલરોને થોડું મૂવમેન્ટ મળ્યું. થોડો અસમાન ઉછાળો હતો, ગ્રાઉન્ડ ફિલ્ડિંગ સારી હતી. એમ લાગ્યું જેમ આજે અમારો દિવસ હોય, પરંતુ જે પ્રકારે અમે બેટિંગ કરી, તેનું સમર્થન નહીં કરી શકાય. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જીત બાદ કહ્યું કે, મને લાગે છે કે આ મેચમાં અમે ખૂબ ઝનૂન દેખાડ્યું. બધા અનુભવી ખેલાડી યોગ્ય સમય પર જવાબદારીથી રમ્યા અને મેચ જીતાડી.

અમે જાણતા હતા કે પીચમાં મદદ છે અને અમારી બોલિંગમાં અનુભવ છે. એટલે અમે એક સારા સ્કોર સુધી પહોંચવા ઇચ્છતા હતા. અમે બેટથી સારું પ્રદર્શન ન કર્યું. પહેલા પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવવાની આદર્શ સ્થિતિ નથી. છતા તમારે એક લાંબી ભાગીદારીની જરૂરિયાત હતી, જે અમે કરી, પરંતુ પછી અમે વિકેટ ગુમાવી દીધી, જેમાં મારી વિકેટ પણ સામેલ હતી. સમગ્ર તસવીરને જોતા મને લાગે છે અમે 30 રન પાછળ રહી ગયા.’

ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે સીમિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 229 રન બનાવી શકી હતી. ભારતીય ટીમે 40 રન પર જ 3 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ રોહિત અને રાહુલે 91 રનોની પાર્ટનરશિપ કરીને ભારતની મેચમાં વાપસી કરાવી. રોહિતે 87 રન બનાવ્યા, એ સિવાય સૂર્યકુમાર યાદવે પણ 49 રન બનાવીને ભારતીય ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી. તો 230 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ માત્ર 34.5 ઓવરમાં 129 રન પર જ ઢેર થઇ ગઇ.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.