ટીમ સિલેક્શનને લઈને ગુસ્સે થયા વસીમ જાફર, સિલેક્ટર્સને પૂછ્યા આ 3 સવાલ

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વન-ડે ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ સીરિઝ માટે સરફરાઝ ખાન, અભિમન્યુ ઈશ્વરન અને પ્રિયાંક પંચાલને સામેલ કરવામાં આવ્યા નથી, તો બીજી તરફ ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલને ટીમમાં ચાંસ મળ્યો છે. તો ચેતેશ્વર પૂજારાને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. ટીમ સિલેક્શન બાદ પૂર્વ ક્રિકેટરોએ પોત પોતાના મંતવ્યો આપવાની શરૂઆત કરી દીધી છે. ભારતના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે ટ્વીટ કરીને ટીમના સિલેક્શનને લઈને સવાલ ઊભા કર્યા અને ટ્વીટ કરીને સિલેક્ટર્સને 3 સવાલ પૂછ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટરે ટ્વીટ કરી અને પોતાના વિચારો સવાલો દ્વારા શેર કર્યા છે.

વસીમ જાફરનો પહેલો સવાલ: “ટીમમાં 4 ઓપનિંગ બેટ્સમેનોને પસંદ કરવાની શું જરૂરિયાત હતી? શું મિડલ ઓર્ડર માટે સરફરાઝ ખાનને પસંદ કરી શકાતો નહોતો, જેણે છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.”

વસીમ જાફરનો બીજો સવાલ: “રણજી અને ઈન્ડિયા-A માટે ઈશ્વરન અને પ્રિયાંક પંચાલે શાનદાર રમત દેખાડી હતી, ત્યારબાદ પણ તેમને ચાંસ ન મળ્યો. તેઓ લાંબા સમયથી ટેસ્ટ ટીમમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે, માત્ર એટલે કે આ ખેલાડી IPL રમતા નથી એટલે ચાંસ નહીં આપી શકાય, પરંતુ બીજી તરફ ઋતુરાજ ગાયકવાડ અચાનક ટેસ્ટ ટીમની લાઇનમાં કેવી રીતે આવી ગયો?”

વસીમ જાફરનો ત્રીજો સવાલ: “મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. તે હેરાનીભર્યો નિર્ણય છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલ બાદ બધા ખેલાડીઓને પહેલા જ એક મહિનાનો આરામ મળી ચૂક્યો છે, એવામાં શમીને કેમ આરામ આપવામાં આવ્યો છે? શમી એક એવો ખેલાડી છે જે જેટલું રમશે એટલી જ શાનદાર રમત દેખાડશે.”

વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (ઉપકેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ભારતીય ટીમનું  ટેસ્ટ સીરિઝનુું શેડ્યૂલ:

પહેલી ટેસ્ટ મેચ: 12-16 જુલાઇ, ડોમિનિકા.

બીજી ટેસ્ટ મેચ: 20-24 જુલાઇ, પોર્ટ ઓફ સ્પેન.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.