ગુજરાત ટાઈટન્સને લાગ્યો મોટો ઝટકો, IPL 2023થી બહાર થયો આ ખેલાડી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળી ગુજરાત ટાઈટન્સ (GT)ને મોટો ઝટકો લાગ્યો છે. ઘૂંટણની ઇજાના કારણે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન આખી સીઝનથી જ બહાર થઈ ગયો છે. IPLની શરૂઆત શુક્રવાર (31 માર્ચના રોજ) શાનદાર ઓપનિંગ સેરેમની સાથે થઇ. ત્યારબાદ થયેલી સીઝનની પહેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને 5 વિકેટે હરાવી દીધી. આ મેચમાં કેન વિલિયમ્સન ઇજાગ્રસ્ત થયો અને ટૂર્નામેન્ટમાંથી જ બહાર થઈ ગયો.

ગુજરાતની ટીમે કેન વિલયમ્સનને 2023ના મિની ઓકશનમાં 2 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ ઘટના મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ઇનિંગ દરમિયાન 13મી ઓવરમાં થઈ. આ ઓવરમાં ચેન્નાઇના ઑપનર ઋતુરાજ ગાયકવાડે હવાઈ શૉટ માર્યો હતો, જેના પર કેન વિલિયમ્સને કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો. બાઉન્ડ્રી પર હવામાં છલાંગ લગાવવા છતા કેન વિલિયમસન કેચ તો ન લઈ શક્યો, પરંતુ ટીમ માટે થોડા રન જરૂર બચાવ્યા. પરંતુ આ દરમિયાન કેન વિલિયમ્સન પોતાની ઘૂંટણ ઇજાગ્રસ્ત કરાવી બેઠો.

તેને તાત્કાલિક જ મેદાનથી બહાર લઈ જવામાં આવ્યો. ત્યારે તેની જગ્યાએ ઇમ્પેક્ટ પ્લેયર સાઈ સુંદર્શનને મેચમાં ઉતારવામાં આવ્યો હતો. તેણે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ પણ કરી હતી. હવે આ ઇજાના કારણે કેન વિલિયમ્સન IPLથી બહાર થઈ ગયો છે. જો મેચની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં ઋતુરાજ ગાયકવાડ 92 અને મોઈન અલી 23ની મદદથી સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા.

ગુજરાત ટાઈટન્સ તરફથી બોલિંગ કરતા મોહમ્મદ શમી, રાશિદ ખાન અને અલ્જારી જોસેફે 2-2 વિકેટ લીધી, જ્યારે જોશુઆ લિટલને 1 વિકેટ મળી હતી. 179 રનનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમને શુભમન ગિલ અને ઋદ્ધિમાન સાહાએ સારી શરૂઆત અપાવી. ગુજરાત ટાઈટન્સે પોતાનું આ લક્ષ્ય 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી સૌથી વધુ 3 વિકેટ રાજવર્ધન હેંગરગેકર (3 વિકેટ) મળી હતી, જ્યારે તુષાર દેશપાંડે અને રવીન્દ્ર જાડેજાને 1-1 વિકેટ મળી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.