KKRએ નવા કેપ્ટનની જાહેરાત કરી, શ્રેયસની ગેરહાજરીમાં સંભાળશે જવાબદારી

IPL 2023 પહેલા, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યર ઓછામાં ઓછી અડધી સિઝન માટે બહાર હોવાના અહેવાલો હતા અને હવે તેની સાબિતી થઈ ગઈ છે. KKR ફ્રેન્ચાઇઝીએ નવા કેપ્ટનની જાહેરાત કરી છે, જેનો અર્થ છે કે, શ્રેયસ અય્યર શરૂઆતની કેટલીક મેચો ચૂકી જશે. તેની ગેરહાજરીમાં, ટીમનું નેતૃત્વ મુખ્ય બેટ્સમેન નીતીશ રાણા કરશે, જે ઘણી સીઝનથી KKRનો ભાગ રહેલો છે. અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામેની ચોથી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ દરમિયાન તેમના નિયમિત સુકાની અય્યરને પીઠમાં ઈજા થતાં બે વખતના IPL ચેમ્પિયનને નવા કેપ્ટનની શોધ કરવાની ફરજ પડી હતી.

નીતીશ રાણાની સાથે સુનીલ નારાયણ પણ કાર્યકારી કેપ્ટનશિપ માટેના બે ઉમેદવારોમાંથી એક હતા. તે 2012માં ફ્રેન્ચાઇઝી સાથે જોડાયો હતો અને હજુ પણ તેનો ભાગ છે. સુનીલ નારાયણે તાજેતરમાં ILT20ની પ્રથમ સિઝનમાં અબુ ધાબી નાઈટ રાઈડર્સનું નેતૃત્વ કર્યું હતું. જો કે, તેની કપ્તાની હેઠળ ટીમ માત્ર એક મેચમાં જીત મળી હતી અને આઠ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના સત્તાવાર નિવેદનમાં કહ્યું, 'જો કે અમને આશા છે કે શ્રેયસ સાજો થઈ જશે અને IPL 2023ની આવૃત્તિમાં કોઈક તબક્કે ભાગ લેશે, અમે ભાગ્યશાળી છીએ કે નીતિશ મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં તેની રાજ્યની ટીમનું નેતૃત્વ કરવાનો સુકાનીપદનો અનુભવ અને 2018થી KKR સાથે IPLનો અનુભવની સાથે તે શાનદાર કામ કરશે.

અમને એ પણ વિશ્વાસ છે કે મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત અને સપોર્ટ સ્ટાફ હેઠળ, તેને મેદાનની બહાર ખૂબ જ જરૂરી સપોર્ટ મળશે અને ટીમના ઉચ્ચ અનુભવી ખેલાડી મેદાનમાં જરૂર પડ્યે નીતિશને સમર્થન આપશે. અમે તેને તેની નવી ભૂમિકા અને શ્રેયસમાં સંપૂર્ણ અને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવીએ છીએ.'

IPL 2023માં, કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ 1 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે તેમના અભિયાનની શરૂઆત કરશે. બે વખતની ચેમ્પિયન KKR તેની પ્રથમ મેચ 6 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેના હોમ ગ્રાઉન્ડ પર રમશે. ગત સિઝનમાં KKRનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને ટીમે ટૂર્નામેન્ટમાં સાતમા સ્થાને રહીને પોતાની સફર પૂરી કરી હતી.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.