WTC ફાઈનલમાંથી બહાર થયેલા કે.એલ.રાહુલની જગ્યાએ આ ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ પહેલા ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના ઓપનર અને વિકેટકીપર તરીકે પસંદ કરાયેલા KL રાહુલ ઓસ્ટ્રેલિયા સામેની મહત્વપૂર્ણ મેચમાંથી બહાર થઈ ગયો છે. BCCIએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન ઈજાગ્રસ્ત લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટનના સ્થાને વિકેટકીપરના નામની જાહેરાત કરી છે. KL રાહુલના સ્થાને BCCIએ ઈશાન કિશનનું નામ પસંદ કર્યું છે.

BCCIએ સોમવારે, 8 મેના રોજ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં ફેરફારની જાહેરાત કરી હતી. IPL દરમિયાન ઈજાગ્રસ્ત KL રાહુલની જગ્યાએ ઈશાન કિશનની પસંદગી કરવામાં આવી છે. જ્યારે, ઋતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર અને સૂર્યકુમાર યાદવને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ફિલ્ડિંગ કરતી વખતે KL રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે મેદાન પર બેટિંગ કરવા ઉતર્યો પરંતુ છેલ્લા નંબરે. આ ઈજાથી તે મુંબઈમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. ઈશાન કિશન હાલ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે.

IPL 2023માંથી બહાર થયા બાદ KL રાહુલે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કર્યું. આ પોસ્ટમાં, તેણે તેની ઈજા વિશે નવીનતમ અપડેટ આપી. KL રાહુલે લખ્યું છે કે, મેડિકલ ટીમની સલાહ મુજબ હું મારી ઈજાની સર્જરી કરાવીશ, આ સર્જરી ટૂંક સમયમાં થઈ શકે છે. જો કે, મારું ધ્યાન ઝડપથી સજા થવા અને સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા પર છે. જોકે આ સમય મારા માટે આસાન નિર્ણય નહોતો, પરંતુ હું જાણું છું કે સંપૂર્ણ રીતે સ્વસ્થ થવાનો આ યોગ્ય સમય છે.

ભારતીય ટીમમાં KL રાહુલને બીજા વિકેટકીપર તરીકે રાખવામાં આવ્યો હતો. KS ભરત મુખ્ય વિકેટકીપરની ભૂમિકા ભજવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઈશાન કિશનની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. KS ભરતે શ્રેણીની ચારેય મેચ રમી હતી.

ભારતે સતત બીજી વખત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતીય ટીમને પાછલી વખતે ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ રનર્સ અપ બનીને સંતોષ માનવો પડ્યો હતો. આ વખતે ભારતનો સામનો ઓસ્ટ્રેલિયન ટીમ સાથે થવાનો છે. 7 થી 11 જૂન સુધી બંને ટીમ ઈંગ્લેન્ડમાં ઓવલના મેદાનમાં રમવા માટે ઉતરશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.