ક્યારેક કોહલીએ વજન માટે ટોક્યો હતો, પછી કર્યું ફિટનેસ પર કામ,હવે બની ગયો રન મશીન

રણજી ટ્રોફીમાં ઘણા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કરે છે. પરંતુ, મુંબઈ તરફથી રમનારો સરફરાઝ ખાન ખાસ છે. ગત સિઝનમાં તેણે 6 મેચમાં જ 123ની સરેરાશથી 982 રન બનાવ્યા હતા. આ સીઝનમાં તેણે 4 સદી પણ ફટકારી. સદી ભલે ટીમને મેચ જીતાડવામાં મદદરૂપ ના બની, પરંતુ સરફરાઝે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સ પર પોતાની છાપ જરૂર છોડી. સુનીલ ગાવસ્કરે પણ સરફરાઝ ખાનના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, જો આવનારા સમયમાં સરફરાઝ ભારતીય ટેસ્ટ ટીમમાં રમતો ના દેખાયો તો જરૂર આશ્ચર્ય થશે.

 એક અખબાર સાથે વાતચીતમાં સરફરાઝે ગાવસ્કર તરફથી મળેલા વખાણ અને પોતાની ફિટનેસને લઈને વાત કરી હતી. સરફરાઝે કહ્યું હતું કે, આ ખૂબ જ સન્માનની વાત છે કે તેઓ (ગાવસ્કર) મારા વિશે વિચારે છે. જો તમે કોઈ ક્રિકેટના મેદાનમાં જઈને ત્યાં અભ્યાસ કરી રહેલા કોઈપણ બાળકને પૂછશો કે તેનું અંતિમ લક્ષ્ય શું છે તો તેનો જવાબ હશે કે તે ભારત માટે રમવા માંગે છે. મારું પણ આ સપનું છે. પરંતુ, મારા અબ્બૂ કહે છે, પ્રક્રિયા પર વિશ્વાસ કરો. હું એ આશા સાથે રમું છું કે હું દરરોજ વધુ શ્રેષ્ઠ બનું. મારું ઝૂનુન છે, હું હંમેશાંથી એ કરવા માગતો હતો. જ્યારે મારા નસીબમાં હશે ત્યારે હું ભારત માટે રમીશ.

મુંબઈના આ ખેલાડીના બેટિંગ ટેલેન્ટને લઈને ક્યારેય કોઈ શંકા નથી રહી. પરંતુ, ફિટનેસ હંમેશાંથી જ સવાલોના ઘેરામાં રહ્યું છે. સરફરાઝે અખબાર સાથે થયેલી વાતચીતમાં એ વાતનો ખુલાસો કર્યો હતો કે, એકવાર વિરાટ કોહલીએ પણ તેની સાથે આ અંગે વાત કરી હતી, જ્યારે તે 2015-16માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો હિસ્સો હતો. ત્યારે સરફરાઝે કોહલીને કહ્યું હતું કે, તે આગળથી હવેથી પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસ પર વધુ ગંભીરતાથી કામ કરશે.

સરફરાઝે જણાવ્યું કે, જ્યારે મેં 2015-16માં IPL મેચ રમી હતી, ત્યારે મારું ફિટનેસનું લેવલ સારું નહોતું અને વિરાટ કોહલીએ પણ મને એ જણાવ્યું હતું. ત્યારબાદ, મેં પોતાની ફિટનેસમાં સુધારો કર્યો, પરંતુ મેં ફરી વેઈટ ગેન કરી લીધું. પરંતુ, છેલ્લાં બે વર્ષોથી હું મારા સ્વાસ્થ્ય અને ફિટનેસને લઈને ખૂબ જ અનુશાસિત છું. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે પરંતુ, તેનાથી મારી ગેમ પર કોઈ અસર પડવી ના જોઈએ. છેલ્લાં આઠ વર્ષથી હું IPLમાં છું અને ફિટનેસ ટેસ્ટ પાસ કરી રહ્યો છું. પોતાના ઓફ સિઝનમાં પણ હું પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસ પર ધ્યાન આપુ છું.

આ બેટ્સમેને આગળ જણાવ્યું હતું કે, જ્યારે મને ડાયટ વિશે ખ્યાલ નહોતો, તો ત્યારે અમે બધુ જ ખાતા હતા. પરંતુ, હવે અમે પોતાના ડાયટને લઈને ખૂબ જ અનુસાશિત થઈ ગયા છીએ. ઘરમાં અમે રોજ નોનવેજ ખાતા હતા. પરંતુ, હવે બિરીયાની અને ભાતમાંથી બનેલી બીજી ડિશીઝ ખાવાનું છોડી દીધુ છે. અમે માત્ર રવિવારે અથવા તો કોઈ તહેવારના દિવસે જ બિરીયાની ખાઈએ છીએ.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.