ક્યારેક કોહલીએ વજન માટે ટોક્યો હતો, પછી કર્યું ફિટનેસ પર કામ,હવે બની ગયો રન મશીન

રણજી ટ્રોફીમાં ઘણા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કરે છે. પરંતુ, મુંબઈ તરફથી રમનારો સરફરાઝ ખાન ખાસ છે. ગત સિઝનમાં તેણે 6 મેચમાં જ 123ની સરેરાશથી 982 રન બનાવ્યા હતા. આ સીઝનમાં તેણે 4 સદી પણ ફટકારી. સદી ભલે ટીમને મેચ જીતાડવામાં મદદરૂપ ના બની, પરંતુ સરફરાઝે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સ પર પોતાની છાપ જરૂર છોડી. સુનીલ ગાવસ્કરે પણ સરફરાઝ ખાનના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, જો આવનારા સમયમાં સરફરાઝ ભારતીય ટેસ્ટ ટીમમાં રમતો ના દેખાયો તો જરૂર આશ્ચર્ય થશે.

 એક અખબાર સાથે વાતચીતમાં સરફરાઝે ગાવસ્કર તરફથી મળેલા વખાણ અને પોતાની ફિટનેસને લઈને વાત કરી હતી. સરફરાઝે કહ્યું હતું કે, આ ખૂબ જ સન્માનની વાત છે કે તેઓ (ગાવસ્કર) મારા વિશે વિચારે છે. જો તમે કોઈ ક્રિકેટના મેદાનમાં જઈને ત્યાં અભ્યાસ કરી રહેલા કોઈપણ બાળકને પૂછશો કે તેનું અંતિમ લક્ષ્ય શું છે તો તેનો જવાબ હશે કે તે ભારત માટે રમવા માંગે છે. મારું પણ આ સપનું છે. પરંતુ, મારા અબ્બૂ કહે છે, પ્રક્રિયા પર વિશ્વાસ કરો. હું એ આશા સાથે રમું છું કે હું દરરોજ વધુ શ્રેષ્ઠ બનું. મારું ઝૂનુન છે, હું હંમેશાંથી એ કરવા માગતો હતો. જ્યારે મારા નસીબમાં હશે ત્યારે હું ભારત માટે રમીશ.

મુંબઈના આ ખેલાડીના બેટિંગ ટેલેન્ટને લઈને ક્યારેય કોઈ શંકા નથી રહી. પરંતુ, ફિટનેસ હંમેશાંથી જ સવાલોના ઘેરામાં રહ્યું છે. સરફરાઝે અખબાર સાથે થયેલી વાતચીતમાં એ વાતનો ખુલાસો કર્યો હતો કે, એકવાર વિરાટ કોહલીએ પણ તેની સાથે આ અંગે વાત કરી હતી, જ્યારે તે 2015-16માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો હિસ્સો હતો. ત્યારે સરફરાઝે કોહલીને કહ્યું હતું કે, તે આગળથી હવેથી પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસ પર વધુ ગંભીરતાથી કામ કરશે.

સરફરાઝે જણાવ્યું કે, જ્યારે મેં 2015-16માં IPL મેચ રમી હતી, ત્યારે મારું ફિટનેસનું લેવલ સારું નહોતું અને વિરાટ કોહલીએ પણ મને એ જણાવ્યું હતું. ત્યારબાદ, મેં પોતાની ફિટનેસમાં સુધારો કર્યો, પરંતુ મેં ફરી વેઈટ ગેન કરી લીધું. પરંતુ, છેલ્લાં બે વર્ષોથી હું મારા સ્વાસ્થ્ય અને ફિટનેસને લઈને ખૂબ જ અનુશાસિત છું. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે પરંતુ, તેનાથી મારી ગેમ પર કોઈ અસર પડવી ના જોઈએ. છેલ્લાં આઠ વર્ષથી હું IPLમાં છું અને ફિટનેસ ટેસ્ટ પાસ કરી રહ્યો છું. પોતાના ઓફ સિઝનમાં પણ હું પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસ પર ધ્યાન આપુ છું.

આ બેટ્સમેને આગળ જણાવ્યું હતું કે, જ્યારે મને ડાયટ વિશે ખ્યાલ નહોતો, તો ત્યારે અમે બધુ જ ખાતા હતા. પરંતુ, હવે અમે પોતાના ડાયટને લઈને ખૂબ જ અનુસાશિત થઈ ગયા છીએ. ઘરમાં અમે રોજ નોનવેજ ખાતા હતા. પરંતુ, હવે બિરીયાની અને ભાતમાંથી બનેલી બીજી ડિશીઝ ખાવાનું છોડી દીધુ છે. અમે માત્ર રવિવારે અથવા તો કોઈ તહેવારના દિવસે જ બિરીયાની ખાઈએ છીએ.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.