તેને કંઇ રીતે દિલાસો આપું કેમ કે હું પોતે રડી રહ્યો હતો, કુલદીપના કોચ થયા ભાવુક

હાલમાં જ સમાપ્ત થયેલી બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમના સ્પિનર કુપદીપ યાદવને 1.5 વર્ષ કરતા વધુ વર્ષ બાદ ચાન્સ મળ્યો હતો. તેણે આ ચાન્સને બેકાર જવા ન દીધો અને પહેલી ટેસ્ટ મેચ 8 વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો, પરંતુ ભારતીય ફેન્સ અને પૂર્વ ક્રિકેટરોને ત્યારે ઝટકો લાગ્યો, જ્યારે કુલદીપ યાદવને બીજી ટેસ્ટ મેચમાં બહાર બેસાડી દેવામાં આવ્યો હતો. કુલદીપ યાદવની જગ્યાએ 12 વર્ષ બાદ વાપસી કરી રહેલા ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને ચાન્સ મળ્યો હતો.

જો કે, ભારતીય ટીમે આ મેચ પણ જીતી લીધી, પરંતુ કુલદીપ યાદવને ડ્રોપ કરવાનો મોટો સવાલ અત્યારે પણ બધાના મનમાં ચાલી રહ્યો છે. કુલદીપ યાદવ ડ્રોપ થવા અને તેની પરિપક્વતાને લઇને તેના બાળપણના કોચ કપિલ પાંડેએ ભાવુક થતા મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, સમય સાથે કુલદીપ યાદવ ખૂબ ધૈર્યવાન થઇ ગયો છે. શરૂ શરૂમાં મને આ છોકરાની ખૂબ ચિંતા થતી હતી, જ્યારે તેને લાયક ચાંસ મળતા નહોતા. તેની પાસે વન-ડે હેટ્રીક છે, ભારત A માટે હેટ્રીક છે અને અંડર-19 વર્લ્ડ કપમાં વધુ એક હેટ્રીક છે.

તેમણે આગળ કહ્યું કે, પહેલી ટેસ્ટ મેચમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ હોવા છતા જ્યારે તેને બીજી ટેસ્ટ મેચમાં ડ્રોપ કરવામાં આવ્યો તો મને ખબર નહોતી કે તેને કઇ રીતે દિલાસો આપું કેમ કે હું પોતે પણ રડી રહ્યો હતો, પરંતુ જે પ્રકારે તેણે મને ધૈર્ય રાખવા અને વિશ્વાસ બનાવી રાખવા માટે કહ્યું, વસ્તુ આખરે કામ કરશે, એ દર્શાવે છે કે તે કેટલો પરિપક્વ થઇ ગયો છે. એક સ્પોર્ટ વેબસાઇટ સાથે વાત કરતા કુલદીપ યાદવના બાળપણના કોચે આગળ કહ્યું કે, કુલદીપ યાદવ સમજી ગયો છે કે, તેણે માત્ર પ્રક્રિયા પર ધ્યાન આપવાની જરૂરિયાત છે અને કોઇ એવી વસ્તુ બાબતે ચિંતા કરવાની જરૂરિયાત નથી, જે તેના નિયંત્રણમાં નથી.

તેમણે આગળ કહ્યું કે, મને વિશ્વાસ છે કે તે સારું પ્રદર્શન કરશે અને તેને જે ધૈર્ય રાખ્યું છે તે તેને મજબૂત વાપસી કરવામાં મદદ કરશે. કુલદીપ યાદવના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો એમે ભારત માટે 8 ટેસ્ટ, 73 વન-ડે અને 25 T20 ઇન્ટરનેશનમ મેચ રમી છે જેમાં તેણે ક્રમશઃ 34, 119 અને 44 વિકેટ પોતાના નામે કરી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.