ભારતના જ પૂર્વ ક્રિકેટર બોલ્યા- ‘ભારત એશિયા કપ જીતી લેશે પણ વર્લ્ડ કપ નહીં જીતે'

ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી મદન લાલે કહ્યું કે, આગામી એશિયા કપમાં તો ભારતીય ટીમ જીતી લેશે, પરંતુ વન-ડે વર્લ્ડ કપ 2023ને લઈને કઇ કહી શકાય નહીં. મદન લાલના જણાવ્યા મુજબ, વર્લ્ડ કપમાં 6 ટીમોમાંથી કોઈ પણ ટીમ જીત હાંસલ કરી શકે છે. એશિયા કપ માટે સિલેક્ટર્સે ભારતની 17 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે, જેમાં કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યર જેવા ખેલાડીઓનું પુનરાગમન થયું છે. હાલમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર તિલક વર્માને પણ ટીમમાં જગ્યા મળી છે.

મદન લાલના જણાવ્યા મુજબ, એશિયા કપમાં ભારતીય ટીમ સારું પ્રદર્શન કરી શકે છે, પરંતુ વર્લ્ડ કપમાં કંઇ કહી શકાય નહીં. હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, ‘મને પૂરો વિશ્વાસ છે કે ભારતીય ટીમ એશિયા કપમાં જીત હાંસલ કરશે, પરંતુ વર્લ્ડ કપમાં કોઈ પણ 6 ટીમ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકામાંથી કોઈ પણ જીત હાંસલ કરી શકે છે. બધા પાસે ચાંસ છે. આપણે પોતાના ઘરમાં રમી રહ્યા છીએ તો તેનું એડવાન્ટેજ મળશે.

તેમણે એમ પણ કહ્યું કે, દબાવના કારણે તેનું નુકસાન પણ થઈ શકે છે. સારી વાત એ છે કે બધા ખેલાડી ખૂબ અનુભવી છે અને પ્રેશરમાં રમવાનું જાણે છે. મારી ચિંતા ખેલાડીઓની ફિટનેસને લઈને છે અને એ સિવાય બીજું કંઇ નથી. ખેલાડીઓ પાસે અનુભવ છે અને ખૂબ એક્સપોઝર છે. આ અગાઉ મદન લાલ એશિયા કપ જેવા ટૂર્નામેન્ટમાં ટીમના સિલેક્ટર્સ પર ખુશ નજરે પડ્યા નહોતા. તેમણે કહ્યું હતું કે, મને નથી લાગતું કે સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટને અત્યારે પણ વિશ્વાસ છે કે કે.એલ. રાહુલ ફિટ છે કે નહીં? કઇ ઇજા કે ઘા? તેમણે એ સ્પષ્ટ કરવું જોઈતું હતું.

તેમણે શ્રેયસ ઐય્યરને રાખ્યો છે. અત્યારે પણ તેની ફિટનેસ બાબતે કોઈ ગેરંટી નથી. તેને કોઈ પ્રતિસ્પર્ધી ક્રિકેટ રમી નથી. તેને પોતાની મેચ ફિટનેસ સાબિત કર્યા બાદ સિલેક્ટ કરવો જોઈતો હતો. નેટ્સમાં બેટિંગ કરવી અને મેચમાં બેટિંગ કરવી બે અલગ-અલગ વસ્તુ છે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમની મેચોની વાત કરીએ તો ભારતીય ટીમ સૌથી પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ ચેન્નાઈમાં રમાશે. ત્યારબાદ અફઘાનિસ્તાન વિરુદ્ધ દિલ્હીમાં ભારતીય ટીમ પોતાની મેચ રમશે. ભારત અને પાકિસ્તાનની મેચ જેની રાહ દરેક ફેન કાગડોળે જોઈ રહ્યા છે તે મેચ 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમશે.

About The Author

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.