મહાકાલના દરબારમાં પહોંચ્યા ભારતીય ખેલાડીઓ, પંત માટે કરી પ્રાર્થના

ભારતીય ટીમ હાલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની વનડે સીરિઝ 2-0થી પહેલા જ જીતી ચૂકી છે. હવે ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી મેચ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. આ મેચને જીતીને ભારતીય ટીમ સીરિઝમાં ક્લિન સ્વીપ કરવા ઈચ્છશે. ભારતીય ટીમના કેટલાંક ખેલાડીઓ ઉજ્જૈન પહોંચ્યા હતા અને મહાકાલ મંદિરમાં સવારે થનારી ભસ્મારતીમાં સામેલ થયા હતા. જેમાં સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ સિવાય સપોર્ટ સ્ટાફ પણ સામેલ હતો.

ત્રીજી વનડે મેચ પહેલા ભારતીય ટીમના ખેલાડી ઉજ્જૈનના મંદિરમાં વહેલી સવારે થતી ભસ્મારતીમાં સામેલ થયા હતા. ટીમ ઈન્ડિયાના ખેલાડી પારંપારિક પોશાક પહેરેલા જોવા મળ્યા હતા અને સામાન્ય લોકોની વચ્ચે બેસીને ભસ્મારતી કરી હતી. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ ભગવાન શિવની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા.

ભારતીય ટીમના સુપરસ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવે કહ્યું કે, અમે રિષભ પંતના જલદીથી સારા થવાની પ્રાર્થના કરી છે. તેનું કમબેક અમારા માટે ઘણું મહત્વનું છે. અમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલા જ સીરિઝ જીતી ચૂક્યા છીએ, હવે માત્ર ફાઈનલ મેચમાં તેમને હરાવવાનું બાકી છે. તેણે કહ્યું હતું કે મહાકાલેશ્વર મંદિરમાં આવીને તેને ઘણું સારું લાગ્યું છે અને તેનું મન શાંત થઈ ગયું છે.

30 ડિસેમ્બર 2022ના દિલ્હીથી રુકડી જતી વખતે રિષભ પંતનો ગંભીર અકસ્માત થયો હતો, જેના પછીથી તે હજુ સુધી હોસ્પિટલમાં છે. તેની સફળ સર્જરી થઈ ગઈ છે અને હાલ રિકવરી મોડમાં છે. પરંતુ તેને મેદાન પર આવતા 6 થી 8 મહિનાનો સમય જરરૂથી લાગી શકે છે. હાલમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ઘણા જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે. ભારતે શ્રીલંકા વિરુદ્ધની સીરિઝમાં પણ મહેમાન ટીમનું ક્લીન સ્વીપ કર્યું હતું અને હવે ન્યૂઝીલેન્ડની ટીમ વિરુદ્ધની સીરિઝને પણ ક્લીન સ્વીપ કરવાની તૈયારીમાં છે.

આ વર્ષના ઓક્ટોબર મહિનામાં યોજાનાર વનડે વર્લ્ડનું યજમાન પણ ભારત છે અને હાલના ટીમના ફોર્મને જોઈને સૌને આશા બંધાઈ રહી છે કે 2011ના વર્લ્ડની જેમ આ વર્લ્ડ કપ પણ ભારત પોતાના નામે કરશે. 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ 1983 પછી પહેલી વખત વર્લ્ડ કપ પોતાના ઘરઆંગણે જીત્યો હતો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.