IPLમાંથી બહાર થયા બાદ બુમરાહ પર લાગ્યો હારનો આરોપ, કોચે આપ્યું આ નિવેદન

રેકોર્ડ 5વારની ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સની ગેમ IPLની હાલની સિઝનમાં સમાપ્ત થઈ ગઈ છે. તેને શુક્રવારે અમદાવાદમાં રમવામાં આવેલી એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સે માત આપી. હવે મુંબઈ ટીમના કોચ માર્ક બાઉચરે મોટું નિવેદન આપ્યું છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી ટીમ ગુજરાત ટાઇટન્સે IPL 2023ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ પર 62 રનોથી જીત મેળવી. શુભમન ગિલ (129) ની શાનદાર સદીને પગલે ગુજરાતે 3 વિકેટ પર 233 રનનો મોટો સ્કોર બનાવ્યો. ત્યારબાદ મુંબઈની ટીમ 18.2 ઓવરમાં 171 રનો પર ઓલઆઉટ થઈ ગઈ. મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે 38 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 61 રન બનાવ્યા. ગુજરાતના પેસર મોહિત શર્માએ માત્ર 2.2 ઓવરમાં 5 વિકેટ લીધી.

હાર બાદ મુંબઈ ઇન્ડિયન્સના હેડ કોચ માર્ક બાઉચરે પોતાના પ્રમુખ ફાસ્ટ બોલર્સની ગેરહાજરી પર નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું, જસપ્રીત બુમરાહ ઉપલબ્ધ નહોતો, જોફ્રા આર્ચર પણ ના રમી શક્યો. તે ગુણવત્તાવાળા ખેલાડી છે. જો તમે પોતાના ગુણવત્તાવાળા ખેલાડીઓને ગુમાવી રહ્યા છો, તો હાં આ એક કમી છે. કોઈના પર દોષ નથી લગાવી રહ્યો પરંતુ, એવી બાબતો બને છે. તેનું નુકસાન થાય છે અને તમારે તેની સામે લડવાનું હોય છે.

કોચ બાઉચરે આગળ કહ્યું, મેં વિચાર્યું હતું કે જે લોકો અમે પસંદ કર્યા, તેમણે આવી સ્થિતિમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું જ્યાં તેમને કદાચ પહેલાથી નહોતા લેવામાં આવ્યા. આથી, તેમને ઉતારવામાં આવ્યા. આ રીતે બે (બુમરાહ અને આર્ચર) ખેલાડીઓને ગુમાવ્યા બાદ એ મુશ્કેલ હતું પરંતુ, અમે અમારું સર્વશ્રેષ્ઠ આપ્યું અને અમે બહુ સારા નહોતા. બાઉચરે ભાર આપતા કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓની ફિટનેસના આધાર પર કેટલાક મોટા નિર્ણયો લેવા પડે છે.

બાઉચરે આગળ કહ્યું, તમે તમારા બે સ્ટાર ખેલાડીઓને બોલિંગ લાઇન-અપમાં ગુમાવી દો છો, અહીં જ કોઈ ખામી રહી જાય છે. અમે તેને જેટલું સંભવ થઈ શકે, યોગ્ય કરવાનો પ્રયત્ન કર્યો. આશા છે કે, ખેલાડી ઈજામાંથી જલ્દી બાહર આવી જશે. જો તેઓ ના કરી શકે તો અમારે અન્ય ખેલાડીઓ જોવા પડશે. એવી ઘણી બાબતો છે જેના વિશે આપણે વાત કરી શકીએ છીએ પરંતુ, મારા માટે હવે ખામીઓને લઇને બોલવું મુર્ખામી હશે. મને લાગે છે કે, આ સમય છે કે બસ આરામથી બેસો, થોડું ચિંતન કરો, ભાવનાઓને તેમાંથી બહાર કાઢો અને કંઈક સારું કરો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.