સૂર્યકુમાર યાદવ સાથે તુલના કરવા પર ભડક્યો પાકિસ્તાનનો આ યંગ બેટ્સમેન

ICC મેન્સ ઈમર્જિંગ એશિયા કપ 2023ની અંતિમ લીગ મેચ 19 જુલાઈના રોજ ભારત A અને પાકિસ્તાન Aની વચ્ચે રમાવા જઇ રહી છે. આ મેચ પહેલા પાકિસ્તાન A ટીમના યુવા બેટ્સમેન અને કેપ્ટને એક મોટું નિવેદન આપ્યું છે.

પાકિસ્તાન A ટીમે નેપાળ અને UAE સામે પહેલી બે મેચ જીતીને સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. તો ભારતીય A ટીમ પણ બે મેચમાં જીત હાંસલ કરીને સેમીફાઈનલમાં પહોંચી ગઇ છે. એવામાં ભારત A અને પાકિસ્તાન Aની મેચ પહેલા પાકિસ્તાન ટીમના યુવા કેપ્ટન મોહમ્મદ હારિસે ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને લઈ મોટું નિવેદન આપ્યું છે.

જણાવીએ કે, હારિસે અત્યાર સુધીમાં મેદાન પર એવા ઘણાં શોટ્સ રમ્યા છે, તેને જોઈ કોઈપણ તેને મિસ્ટર 360 ડિગ્રી અને સૂર્યકુમાર યાદવ સાથે તુલના કરી રહ્યા છે. જે હારિસને પસંદ આવ્યું નથી.

એક ઈન્ટરવ્યૂમાં મોહમ્મદ હારિસે પોતાની બેટિંગ શૈલી અને તે કઈ રીતે રમે છે તેના પર પ્રતિક્રિયા આપી. તેને જ્યારે એ પૂછવામાં આવ્યું કે, ભારતના ટી20 સુપરસ્ટાર સૂર્યકુમાર યાદવ સાથે તુલના કરતા તેને પાકિસ્તાનનો 'સૂર્ય' કહેવામાં આવે છે. તો તેના પર હારિસે કહ્યું કે, મારી તુલના સૂર્યા સાથે કરવી જોઇએ નહીં. સૂર્યકુમાર યાદવ 32-33 વર્ષનો છે અને હું 22 વર્ષનો છું. તેમના લેવલ સુધી પહોંચવા માટે મારે હજુ ઘણું કામ કરવાનું રહેશે. સૂર્યાનું પોતાનું અલગ લેવલ છે. ડિવિલિયર્સનું પોતાનું લેવલ છે. હું મારા લેવલ પર બરાબર છું. હું 360 ડિગ્રી ક્રિકેટર તરીકે પોતાનું નામ બનાવવા માગુ છું. નહીં કે તેના નામનો ઉપયોગ કરવા માગું છું. જણાવીએ કે, મોહમ્મદ હારિસને 360 ડિગ્રી ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે.

ખેર, આ ટૂર્નામેન્ટની વાત કરીએ તો, ભારત-A ની કેપ્ટન્સી યશ ઢુલ કરી રહ્યો છે. જે સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. તે આ ટૂર્નામેન્ટમાં સદી પણ ફટકારી ચૂક્યો છે. ભારત A અને પાકિસ્તાન A વચ્ચેની આ મેચ 19 જૂલાઈના રોજ રમાશે. જે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. જેને સ્ટાર સ્પોર્ટ્સ પર જોઇ શકાશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.