મુંબઈની આ હૉસ્પિટલમાં થઈ મહેન્દ્ર સિંહ ધોનીના ઘૂંટણ થઈ સફળ સર્જરી

1 જૂન 2023 એટલે કે ગુરુવારે સવારે મહેન્દ્ર સિંહ ધોનીની મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ અને ચિકિત્સા અનુસંધાન સંસ્થામાં ઘૂંટણની સફળ સર્જરી થઈ છે. મહેન્દ્ર સિંહ ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 દરમિયાન ઘૂંટણ પર પાટો બાંધી રમ્યો હતો. તે એ જ હૉસ્પિટલમાં છે જ્યાં આ વર્ષે જાન્યુઆરીમાં રિષભ પંતના ઘૂંટણની સર્જરી થઈ હતી. એક અખબારના રિપોર્ટમાં મહેન્દ્ર સિંહના ઘૂંટણની સર્જરી થવાની જાણકારી આપવામાં આવી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ઘૂંટણની ઇજાને લઈને ફ્રેન્ચાઇઝીન મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) કાશી વિશ્વનાથે બુધવારે 31 મેના રોજ કહ્યું હતું કે, ધોની પોતાના ડાબા ઘૂંટણની સારવારના નિર્ણય માટે મુંબઇમાં સ્પોર્ટ્સ ઓર્થોપેડિક’ વિશેષજ્ઞની સલાહ લેશે. ઘૂંટણ પર પાટો બાંધેલો હોવા છતા IPL 2023 દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીની વિકેટકીપિંગમાં કોઈ ખામી ન દેખાઈ, પરંતુ બેટિંગ દરમિયાન તે ઝડપથી રન લેતા બચવા માટે નીચેના ક્રમમાં આવતો હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથે એક ન્યૂઝ એજન્સીને કહ્યું કે, ‘હા એ સાચું છે કે ધોની પોતાના ડાબા ઘૂંટણની ઇજા પર ચિકિત્સકો પાસેથી સલાહ લેશે અને એ મુજબ નિર્ણય કરશે. જો સર્જરીની સલાહ આપવામાં આવે છે તો એ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. આ પૂરી રીતે તેની મરજી હશે.. કાશી વિશ્વનાથને જ્યારે પૂછવામાં આવ્યું કે, એવી સંભાવના છે કે મહેન્દ્ર સિંહ ધોની આગામી સીઝનમાં ન રમવાનો નિર્ણય  કરે અને આ પ્રકારે મિની ઓક્શનમાં ટીમ પાસે વધારાના 15 કરોડ રૂપિયા હશે.

તેના પર તેમણે કહ્યું કે, સાચું કહું, તો અમે એ દિશામાં વિચારી પણ રહ્યા નથી કેમ કે અમે અત્યારે એ સ્થિતિમાં પહોંચ્યા નથી. તે પૂરી રીતે ધોનીનો નિર્ણય હશે, પરંતુ હું તમને ચેન્નાઈ સુપર કિંગ્સના વિચાર બાબતે બતાવી શકું છું કે અમે આ બાબતે કઈ વિચાર્યું નથી. IPLની પાંચમી ટ્રોફી જીત્યા બાદ ફ્રેન્ચાઇઝન માલિક એન. શ્રીનિવાસના સંબોધન અને ટીમના સેલિબ્રેશન મનાવવાની યોજના પર પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, શ્રીનિવાસન આ સફળતાથી ખૂબ ખુશ છે, પરંતુ કોઈ સેલિબ્રેશન નહીં થાય. ખેલાડી અમદાવાદથી જ પોતાના આગામી પડાવ માટે નીકળી ગયા. આમ પણ જો તમે ચેન્નાઈને જુઓ તો અમે ક્યારેય મોટા સ્તર પર સેલિબ્રેશન મનાવતા નથી.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.