હરમનપ્રીત કૌરે અમ્પાયરના વાઇડ બૉલ પર DRS લઇ બધાને ચોંકાવ્યા

ક્રિકેટમાં આઉટ કે નોટ આઉટના નિર્ણયને પડકાર આપવા માટે DRS લેવાની સામાન્ય વાત છે. જ્યારે ફિલ્ડ અમ્પાયર કોઈ બેટ્સમેનને આઉટ આપે છે, પરંતુ તેને લાગે છે કે તે આઉટ નથી તો તે ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ એટલે કે DRSનો ઉપયોગ કરી શકે છે. એવું ત્યારે પણ થાય છે કે બોલરોને લાગે છે કે બેટ્સમેન આઉટ છે અને અમ્પાયરે આઉટ આપ્યો નથી, પરંતુ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં અલગ કારણે DRS લેવામાં આવ્યું. મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમે ગુજરાત જાયન્ટ્સ (GT) વિરુદ્ધ DRS લીધું હતું.

મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌરે ગુજરાત ટાઈટન્સની ઇનિંગની 13મી ઓવરના છેલ્લા બૉલ પર વાઇડ કોલને પડકાર આપ્યો હતો. સાઇકા ઇશાકનો બૉલ બેટિંગ કરી રહેલી મોનિકા પટેલના ગ્લવ્સ પર લાગ્યો હતો, પરંતુ ફિલ્ડ અમ્પાયરે તેને વાઇડ કરાર આપી દીધો. હરમનપ્રીત કૌરે તેની વિરુદ્ધ DRS લેવાનો નિર્ણય લીધો, જેથી દર્શક દંગ રહી ગયા. થર્ડ અમ્પાયરે રિપ્લે જોયા બાદ ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને પલટી દીધો. કમેન્ટ્રી પર હર્ષા ભોગલેએ ત્યારબાદ સ્પષ્ટ કહ્યું કે, ટીમો પાસે વુમન્સ પ્રીમિયર લીગમાં નો બૉલ અને વાઇડ બૉલ વિરુદ્ધ DRS લેવાની સુવિધા છે.

દરેક ટીમ પાસે 2 DRS હશે. કોઈ પણ ટીમ 2 ખોટા DRS લઈ શકે છે, પરંતુ જો નિર્ણય તેના પક્ષમાં આવે છે તો ગમે તેટલા DRS લઈ શકાય છે. જેવા જ 2 નિર્ણય તેમની વિરુદ્ધ જાય છે, તેઓ DRS નહીં લઈ શકે. તેનો ઉપયોગ આઉટ કે નોટઆઉટ કોલ સાથે સાથે વાઇડ અને નો બૉલ માટે પણ કરી શકાય છે. હર્ષા ભોગલે સાથે કમેન્ટ્રી પેનલ કરી રહેલી મેલ જોન્સે કહ્યું કે, મેં પહેલા એવું કશું જ નથી જોયું. મુંબઈ ઇન્ડિયન્સે આ મેચ 143 રનના મોટા અંતરથી પોતાના નામે કરી દીધી.

ગુજરાત જાયન્ટસે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સ વુમન ટીમે સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સૌથી વધુ રન કેપ્ટન હરમનપ્રીત કૌરે (65) રન બનાવ્યા, જ્યારે હેલી મેથ્યૂસે 47 અને અમેલિયા કેરે 45 રનની ઇનિંગ રમી. 208 રનનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમ 15.1 ઓવરમાં જ 64 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તેની તરફથી હેમલતાએ સૌથી વધુ 29 રન બનાવ્યા, જ્યારે મોનિકા પટેલે 10 રન બનાવ્યા. એ સિવાય કોઈ પણ ખેલાડી ડબલ ડિજિટ સુધી ન પહોંચી શકી. ગુજરાતની 4 ખેલાડી તો શૂન્ય પર જ આઉટ થઈ ગઈ.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.