વર્લ્ડ કપ માટે ભારત આવવા પર પાક.નું નિવેદન, નઝમ સેઠીએ ઉઠાવ્યો સુરક્ષાનો મુદ્દો

ગત વર્ષે ઓક્ટોબરમાં BCCI સચિવ જય શાહના એક નિવેદન બાદથી ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની વચ્ચે ખેંચતાણ ચાલુ છે. એશિયા કપ 2023ની મેજબાની પાકિસ્તાનને મળી છે પરંતુ, જય શાહે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરશે. ત્યારબાદ તત્કાલીન PCB ચેરમેન રમીઝ રાજાએ સ્પષ્ટરીતે વનડે વર્લ્ડ કપ 2023 માટે ભારત ના આવવાની ધમકી આપી હતી. ત્યારબાદ રમીઝની સત્તા બદલાઈ ગઈ અને PCBનો કાર્યભાર એક પેનલને આપવામાં આવ્યો જેની અધ્યક્ષતા નઝમ સેઠીના હાથોમાં આવી ગઈ.

આ મુદ્દો અહીંથી ના અટક્યો. નઝમ સેઠીએ પણ ઘણા એવા નિવેદન આપ્યા જેને કારણે વિવાદ વધ્યો. ફેબ્રુઆરીની શરૂઆતમાં બહરીનમાં મીટિંગ પણ થઈ પરંતુ, તેનો કોઈ નિષ્કર્ષ ના નીકળ્યો. હવે બીજી ICC ની મીટિંગ 18થી 20 માર્ચ સુધી દુબઈમાં થવાની છે. તે પહેલા નઝમ સેઠીએ હવે સુરક્ષાનો નવો રાગ છેડી દીધો છે. તેનું કહેવુ છે કે, જે રીતે સુરક્ષાનો હવાલો આપીને ભારતીય ટીમને પાકિસ્તાન આવવાની ના પાડવામાં આવી રહી છે. એ જ રીતે પાકિસ્તાની ટીમને પણ ભારતમાં સુરક્ષાનું જોખમ હોઇ શકે છે. તેમણે કહ્યું કે, તેઓ આ મુદ્દો આવનારી મીટિંગમાં ઉઠાવશે પણ.

નઝમ સેઠીએ તેને લઈને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જ્યારે તમામ ટીમો પાકિસ્તાન આવી રહી છે અને તેમને સુરક્ષાને લઇને કોઈ પ્રોબ્લેમ નથી. તો પછી ભારતીય ટીમ શા માટે સુરક્ષાને લઈને ચિંતિત છે? જો એ જ રીતે અમે પણ કહીએ કે અમને પણ વર્લ્ડ કપ માટે પોતાની ટીમને ભારત મોકલવામાં સુરક્ષાની ચિંતા છે. હું આ મુદ્દો ઉઠાવીશ. અમે આ મામલામાં ભારતના આ નિર્ણયને સપોર્ટ નથી કરતા. અમે એશિયા કપ આયોજિત કરવા માંગીએ છીએ. યાદ રાખો આ માત્ર એશિયા કપ અથવા વનડે વર્લ્ડ કપને લઈને નથી પરંતુ, 2025માં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને પણ છે.

નઝમ સેઠી અહીં જ ના અટક્યા તેમણે આગળ કહ્યું કે, મેં આ મામલામાં સરકાર પાસે સલાહ પણ લીધી છે. અમારી સ્થિતિ એ છે કે, અમે એ જ કરીશું જે આપણા ચીફ (સરકારના ચીફ, વડાપ્રધાન) કહેશે. જો તેઓ કેહશે કે ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન ભલે ના આવે પરંતુ, આપણે ભારત જઈને વર્લ્ડ કપ રમવાનો છે, તો અમે એવુ જ કરીશું. તેના પર કંઈ ના કરી શકીએ. પરંતુ, જો તેમણે ના પાડી દીધી તો આપણી સાથે પણ ભારતવાળી જ કન્ડિશન ઉત્પન્ન થઈ જશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.