RCBને હરાવ્યા બાદ બોલ્યો રાણા-શાહરૂખે ઘણું કહ્યું પણ કહી નહીં શકું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ પહેલી જીત હાંસલ કરી છે. ગુરુવારે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 81 રનોના અંતરથી હરાવી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને હાલના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ બંનેની બેટ ન ચાલી શકી. હાલની IPL સીઝનમાં કોલકાતા નાઈટ રાઇડર્સની બીજી મેચમાં આ પહેલી જીત રહી.

આ જીત બાદ નવા કેપ્ટન નીતિશ રાણા અને ટીમના માલિક શાહરુખ ખાન ખૂબ ખુશ નજરે પડ્યા. મેચ બાદ નીતિશ રાણાએ ‘પ્લેયર ઓફ ધ મેચ’ રહેલા શાર્દૂલ ઠાકુરના ભરપેટ વખાણ કર્યા. સાથે જ શાહરુખ ખાનને લઈને પૂછવામાં આવેલા સવાલ પર તેણે કહ્યું કે, તેણે કહ્યું તો ઘણું વધુ છે, પરંતુ કહી નહીં શકું. આવો નીતિશ રાણાને પૂછવામાં આવેલા સવાલો અને તેના જવાબો બાબતે જાણીએ.

ગત હાર બાદ વાપસી કરી છે, તેને કઈ રીતે જુઓ છે? આ સવાલ પર નીતિશ રાણાએ કહ્યું કે, અમે ગત મેચ હાર્યા જરૂર છીએ, પરંતુ ત્યારે અમે અંત સુધી મેચમાં બન્યા રહ્યા. અમારા ડ્રેસિંગ રૂમમાં સકારાત્મકતા છે, પરંતુ આ મેચ ખૂબ જ શાનદાર રહી. ગુરબાજે જે પ્રકારે બેટિંગ કરી, શાર્દૂલ પણ શાનદાર રહ્યો. બેટ્સમેન તરીકે શાર્દૂલ ઠાકુરે શાનદાર કામ કર્યું. સુયશ બાબતે શું કહેશો?

આ સવાલ પર તેણે કહ્યું કે, તે સામાન્ય લેગ સ્પિનર જ છે. તે એક ઓર્થોડોક્સ સ્ટાઇલનો એક્સફેક્ટર બોલર છે. તેને સરળતાથી રીડ કરી શકાય નહીં. તેના હાથની ગતિ ખૂબ તેજ છે. તેણે પણ શાનદાર કામ કર્યું. દરેક મેચથી તે કંઈક શીખી રહ્યો છે. તમારી પાસે 2 સ્લો સ્પિનર છે, તમે તેનો ઉપયોગ કેવી રીતે કરો છો, તમારા મનમાં શું રહે છે? આ સવાલ પર નીતિશ રાણાએ કહ્યું કે, મેં એ જ વિચાર્યું કે, સુનિલ નરીને દરેક વખત શાનદાર કામ કર્યું છે.

મેં બૉલ સનીને પકડાવ્યો. પછી વરુણ અને તેણે શાનદાર કામ કર્યું. મેં વિચાર્યું કે, અમારે મિડલ ઓર્ડર અને ગ્લેન મેક્સવેલને આઉટ કરવા પડશે. શાહરુખ ખાને શું કહ્યું? આ સવાલ પર તેણે કહ્યું કે, તેમણે કહ્યું તો ઘણું બધુ છે, પરંતુ હું તે બતાવી નહીં શકું. શું વાપસી બાદ ઘરેલુ મેદાન પર RCB વિરુદ્ધ મેચ થોડી મુશ્કેલ રહી? આ સવાલના જવાબના નીતિશ રાણાએ કહ્યું કે, એકદમ, અમે 3 વર્ષ બાદ ઘરેલુ મેદાન પર વાપસી કરી રહ્યા હતા. કેપ્ટન તરીકે અમે ફેન્સને સારું આપ્યું છે.

એ અમારા ફેન્સ માટે એક ઈનામ જ છે. રેકોર્ડ તોડવા માટે અમારે સારું કરવું પડશે. ફેન્સ એન્જોય કરવા આવ્યા અને તેમને આનંદ મળ્યો પણ. તમારી ટીમની ઓપનિંગ જોડી બાબતે શું કહેવાય માગશો? તેના પર તેણે કહ્યું કે, તે શૉટ રમવાનો સમય સારો નહોતો, પરંતુ હું આ પ્રકારે રમુ છું. મારે આક્રમક બેટિંગ કરવાની જરૂરિયાત છે. હું એવું જ કરવા પણ માગું છું. અમારી ઓપનિંગ જોડી એવી (રહમાનુલ્લાહ ગુરબાજ અને વેંકટેશ ઐય્યર) નહોતી, અમે આ જોડીને ખાસ ટીમ માટે ઉપયોગ કરી છે.

સુનિલ નરીન અને વરુણ ચક્રવર્તીની જોડીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ સવાલ પર નીતિશ રાણાએ કહ્યું કે, બેટ્સમેન તરીકે આપણે બધાને પાવરપ્લે અને ત્યારબાદ પણ સારું કરવાની જરૂરિયાત છે. એટલે બોલિંગમાં આપણે વચ્ચેની ઓવરોમાં પણ સારું કરવાની જરૂરિયાત છે. અમારા સ્પિનર્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. વરુણે શાનદાર કામ કર્યું. તેની વાપસી ખૂબ જરૂરી છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.