ભારત ન જવાથી પાકિસ્તાનને કોઈ ફરક નહીં પડે,ભારત સામે ઝેર ઓકતું મિયાંદાદનું નિવેદન

પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિયાંદાદે ફરી એકવાર ભારત સામે ઝેર ઓકતા કહ્યું છે કે, પાકિસ્તાને આ વર્ષના ODI વર્લ્ડ કપ અને અન્ય મેચો માટે પડોશી દેશમાં ન જવું જોઈએ, જ્યાં સુધી ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) પોતાની ટીમને પહેલા આપણા દેશમાં મોકલવા માટે રાજી ન હોય. તેમણે કહ્યું કે, ભારતમાં ન જવાથી પાકિસ્તાનને કોઈ ફરક નહીં પડે. ICC દ્વારા તૈયાર કરવામાં આવેલા ODI વર્લ્ડ કપના ડ્રાફ્ટ શેડ્યૂલ મુજબ, પાકિસ્તાનનો ભારત સામે હાઈ-વોલ્ટેજ મુકાબલો 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનો છે.

જોકે, 66 વર્ષીય પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મિયાંદાદનું માનવું છે કે, હવે ભારતનો વારો છે કે તે પાકિસ્તાનનો પ્રવાસ કરે. મિયાંદાદે કહ્યું, 'પાકિસ્તાન 2012 અને ત્યાં સુધી કે 2016માં પણ ભારત ગયું હતું અને હવે અહીં ભારતીયોનો આવવાનો વારો છે. જો મારે નક્કી કરવું હોય તો, હું ક્યારેય પણ કોઈ પણ મેચ રમવા ભારત જઈશ નહીં, ત્યાં સુધી કે વર્લ્ડ કપ પણ નહીં. અમે તેમની (ભારત) સાથે રમવા માટે હંમેશા તૈયાર રહીયે છીએ, પરંતુ તેઓ ક્યારેય સરખી રીતે જવાબ આપતા નથી.'

મિયાંદાદે કહ્યું, 'પાકિસ્તાન ક્રિકેટ મોટું છે... અમે હજુ પણ ગુણવત્તાયુક્ત ખેલાડીઓ પેદા કરી રહ્યા છીએ. તેથી મને નથી લાગતું કે જો અમે ભારત નહીં જઈએ તો તેનાથી અમને કોઈ ફરક પડશે.' ભારત છેલ્લે 50 ઓવરના એશિયા કપ માટે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચેના તણાવને કારણે દ્વિપક્ષીય ક્રિકેટ રમાતી નથી.'

મિયાંદાદનું માનવું છે કે, રમતને રાજકારણથી દૂર રાખવી જોઈએ. તેણે કહ્યું, 'મેં હંમેશા કહ્યું છે કે કોઈ વ્યક્તિ પોતાના પાડોશીને સિલેક્ટ કરી શકતો નથી, તેથી એકબીજા સાથે સહકાર કરવો એ વધુ સારું છે. મેં હંમેશા કહ્યું છે કે, ક્રિકેટ એક એવી રમત છે જે લોકોને નજીક લાવે છે અને દેશો વચ્ચેની ગેરસમજ અને ફરિયાદો દૂર કરી શકે છે.'

મિયાંદાદની પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે પાકિસ્તાનને 'હાઇબ્રિડ મોડલ' હેઠળ આગામી એશિયા કપની યજમાની કરવાની ફરજ પડી રહી છે અને ભારત તેની તમામ મેચ શ્રીલંકામાં રમશે. મિયાંદાદ, જેઓ ભારતના સતત કટ્ટર ટીકાકાર રહ્યા છે, તે આ નિર્ણયથી ખુશ નથી. તેણે કહ્યું, 'એવું માનવામાં આવતું હતું કે, તેઓ એક વખત પણ એશિયા કપ માટે પોતાની ટીમને પાકિસ્તાન નહીં મોકલે, તેથી હવે સમય આવી ગયો છે કે આપણે પણ કડક વલણ અપનાવીએ.'

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.