એશિયા કપ પર ભારત-પાકિસ્તાન વચ્ચે વાકયુદ્ધ, અશ્વિને મિયાદાદને આપ્યો જડબાતોડ જવાબ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી જ્યારથી એશિયા કપ 2023 માટે પાકિસ્તાન જવાની ના પાડી છે ત્યારથી પાકિસ્તાન ક્રિકેટમાં હાહાકાર મચી જવા પામ્યો છે. કાલે પાકિસ્તાની ક્રિકેટર મિયાદાદે BCCIને લઇને ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું. તો હવે રવિચંદ્રન અશ્વિને તેમને જડબાતોડ જવાબ આપ્યો છે. રવિચંદ્રન અશ્વિને કહ્યું કે, એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં થવાનું હતું, પરંતુ ભારતે ત્યાં જવાની ના પાડી દીધી.

ભારતે કહ્યું કે વેન્યૂ ચેન્જ થવા પર જ તે એશિયા કપ રમશે. એવું ઘણી વખત થાય છે જ્યારે આપણે ત્યાં રમવા નહીં જઈએ તો પણ તેઓ કહે છે કે તેઓ રમવા નહીં આવે, પાકિસ્તાને પણ કહ્યું કે વર્લ્ડ કપ રમવા નહીં આવે, પરંતુ એ સંભવ નથી. એશિયા કપનું આયોજન થઈ શકે છે. શ્રીલંકામાં કરાવવામાં આવે. જો ત્યાં થાય છે તો મને ખુશી થશે. ઉલ્લેખનીય છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠકમાં BCCI સચિવ જય શાહે ભારતની સ્થિતિને સ્પષ્ટ કરી હતી.

BCCIએ કહ્યું કે, સુરક્ષાના કારણે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે, જો એશિયા કપ ત્યાંથી શિફ્ટ થતો નથી તો ભારતીય ટીમ તેમાં હિસ્સો નહીં લે. તેના જવાબમાં પાકિસ્તાન તરફથી ધમકી આપવામાં આવી છે, જો ભારતીય ટીમ પાકિસ્તાન આવતી નથી તો પાકિસ્તાની ટીમ વન-ડે વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ નહીં કરે. આ નિવેદનબાજી દરમિયાન જાવેદ મિયાદાદે કહ્યું હતું કે, અમારી ક્રિકેટ ભારત વિના પણ ચાલી રહી છે, જો ભારત પાકિસ્તાન આવતું નથી તો આપણે ત્યાં પણ ન જવું જોઇએ.

પાકિસ્તાને તેની ક્રિકેટમાં મળી રહી છે એવામાં ICCએ પોતાની ભૂમિકા ભજવવી જોઇએ અને એ પ્રકારના મામલાનું સમાધાન કરવું જોઇએ. જાવેદ મિયાદાદે BCCI માટે ‘Go to hell’ શબ્દનો ઉપયોગ કર્યો. કહ્યું કે, ICCએ બધા ટીમો માટે નિયમ બનાવવો જોઇએ, જ્યાં જો કોઇ ટીમ ટૂર્નામેન્ટમાં હિસ્સો લેતી નથી તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ભારતનું ક્રાઉડ ખૂબ જ ખરાબ વર્તન કરે છે, જો તેની ટીમ હારે છે તો ક્રાઉદ બેકાબૂ થઇ જાય છે. તેમણે કહ્યું કે આવીને રમો, રમતા કેમ નથી. ભાગો છો, તેમને મુશ્કેલી થઇ જાય છે ભાગે છે.

ભારતીય ટીમ લાંબા સમયથી પાકિસ્તાનનો પ્રવાસ કરી રહી નથી કેમ કે ભારત અને પાકિસ્તાનના રાજનૈતિક સંબંધ અત્યારે સારી નથી, એવામાં બંને દેશો વચ્ચે ક્રિકેટ પણ ઘણી હદ સુધી રોકાયેલી છે. અત્યારે બંને ટીમો માટે ICC અને ACC ટૂર્નામેન્ટમાં જ એક-બીજા વિરુદ્ધ રમે છે. ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2023 આ વખત પાકિસ્તાનમાં થવાનો છે, પરંતુ ભારતીય ટીમે ત્યાં જવાની ના પાડી દીધી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.