રમીઝ રાજાએ કહ્યું- 'BCCI કોઈ ચોક્કસ રાજકીય પક્ષની વિચારધારાથી કામ કરે છે'

પાકિસ્તાનના પૂર્વ અધ્યક્ષ રમીઝ રાજાએ ફરી એકવાર BCCIને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. રમીઝ રાજાએ કહ્યું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BJP છે. રમીઝ રાજાએ સરકારી કોલેજ યુનિવર્સિટી લાહોરમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી.

PCBના પૂર્વ અધ્યક્ષ રમીઝ રાજાએ કહ્યું કે, ભારતીય માનસિકતા પાકિસ્તાન ક્રિકેટની પ્રગતિને રોકવાની છે. રમીઝ રાજાએ કહ્યું, 'દુર્ભાગ્યથી ભારત સાથે જે થઈ રહ્યું છે તે BJPની માનસિકતા છે. મેં જે સંપત્તિઓની જાહેરાત કરી, તે PJL હોય કે પાકિસ્તાન વિમેન્સ લીગ હોય, તે એટલા માટે કરવામાં આવી હતી કે, અમે અમારી પોતાની મની-મેકિંગ એસેટ્સ બનાવી શકીએ, જેનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભંડોળ મળી રહે, જે અમને ICCના ભંડોળથી દૂર લઈ જશે.'

એના પછી તેમણે ઉમેર્યું, 'આપણી સ્વતંત્રતા સાથે ચેડાં કરવામાં આવે છે, કારણ કે ICCના મોટા ભાગના સંસાધનો ભારતમાં બનાવવામાં આવે છે. જો ભારતની માનસિકતા પાકિસ્તાનને હાંસિયામાં ધકેલી દેવાની છે, તો આપણે ન તો અહીંના રહીશું અને ન તો ત્યાંના. રાજાએ એમ પણ કહ્યું કે, તેણે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ સાથે વાત કરી છે અને તેમને ICCમાં નેતૃત્વની ભૂમિકાઓ લેવા કહ્યું છે, જેથી સંસ્થા પૈસાના દબાણ સામે ઝૂકી ન જાય.'

અહીં તમને જણાવી દઈએ કે, એશિયા કપ 2023ને લઈને BCCI અને PCB વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વાસ્તવમાં 2023નો એશિયા કપ પાકિસ્તાનમાં પ્રસ્તાવિત છે. આવી સ્થિતિમાં BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે, જો એશિયા કપ પાકિસ્તાનમાં યોજાશે તો ભારત તેમાં ભાગ નહીં લે.

બીજી તરફ જય શાહના નિવેદન બાદ તત્કાલીન PCB રમીઝ રાજાએ તેનો વિરોધ કર્યો હતો અને પાકિસ્તાનને ODI વર્લ્ડ કપમાંથી બહાર રાખવાની વાત કરી હતી. વાસ્તવમાં, 2023 ODI વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે શાબ્દિકયુદ્ધ ચાલી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાનમાં થવાની છે, પરંતુ તે પાકિસ્તાનમાં યોજાશે કે તટસ્થ સ્થળ પર શિફ્ટ કરવામાં આવશે, તે અંગે નિર્ણય લેવાનો બાકી છે, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા નજમ સેઠી આ મુદ્દે BCCI સાથે વાત કરવા માંગે છે.

PCBના એક સૂત્રને ઉલ્લેખીને કહેવામાં આવ્યું છે કે, જો ગુરુવારે ILT20 લીગના ઉદ્દઘાટન સમારોહમાં BCCI સચિવ જય શાહ આવે તો PCBના વડા નજમ સેઠી તેમની સાથે વાતચીત કરવા માંગે છે. જો કે હજુ સુધી જય શાહ આ ઓપનિંગ સેરેમનીમાં જશે કે નહીં તેની કોઈ સત્તાવાર માહિતી નથી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.