'નિવૃત્તિ પછી એક વાતનો અફસોસ થશે..', અશ્વિનની પીડા છલકાઈ

PC: hindi.informalnewz.com

અશ્વિનને WTC ફાઈનલમાં ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી ન હતી, જેણે ઘણા દિગ્ગજોને આશ્ચર્યચકિત કર્યા હતા, ઘણા લોકો માને છે કે ફાઇનલમાં ભારતીય ટીમની હારનું સાચું કારણ અશ્વિનની ગેરહાજરી હતી. સચિન તેંડુલકરે પણ ટ્વિટ કરીને અશ્વિનને ન રમાડવા પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે, હવે અશ્વિને પોતે નહીં રમવા પર પોતાનું મૌન તોડ્યું છે. મીડિયા સૂત્રોને આપેલા એક જવાબમાં અશ્વિને ફાઈનલ નહીં રમવાની વાત કરી છે. અશ્વિને કહ્યું, 'તેનો જવાબ આપવો થોડો મુશ્કેલ છે. અમે હમણાં જ ફાઈનલ રમી છે. મને ફાઈનલ રમવાનું ગમતે, એટલું જ નહીં મેં છેલ્લી ફાઇનલમાં સારી બોલિંગ કરી અને 4 વિકેટ લીધી હતી.' વિદેશી ધરતી પરના પોતાના પ્રદર્શન અંગે તેણે કહ્યું, 'તેનું વિદેશમાં પ્રદર્શન 2018-19 સીઝનથી 'શાનદાર' રહ્યું છે.'

અશ્વિને આગળ કહ્યું, '2018-19થી, વિદેશમાં મારી બોલિંગ શાનદાર રહી છે અને હું ટીમ માટે મેચો જીતવામાં સફળ રહ્યો છું... હું તેને એક કેપ્ટન અથવા કોચ તરીકે જોઈ રહ્યો છું અને હું ફક્ત તેમના બચાવમાં વાત કરી શકું છું, એટલા માટે છેલ્લી વખત અમે જ્યારે ઈંગ્લેન્ડમાં હતા, ટેસ્ટ 2-2થી ડ્રો રહી હતી, તેમને લાગ્યું હશે કે ઈંગ્લેન્ડમાં 4 પેસર અને 1 સ્પિનરનું સંયોજન વધુ સારું રહેશે, તેઓએ ફાઈનલમાં પણ આવું જ વિચાર્યું હશે..., સમસ્યા એક સ્પિનરના રમવાની નથી, સમસ્યા છે ચોથી ઇનિંગ્સ. ચોથી ઇનિંગ્સ એ ટેસ્ટ મેચનું ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે અને અમારા માટે પૂરતા રન બનાવવા માટે સક્ષમ થવું જેથી સ્પિનર રમતમાં આવી શકે, તે બધું માનસિકતા પર આધારિત છે.'

અશ્વિને ઈન્ટરવ્યુમાં એ પણ જણાવ્યું કે, એક બેટ્સમેન ન હોવાનો તેને કેટલો અફસોસ થશે. પોતાની વાત રાખતા અશ્વિને કહ્યું, 'કાલે જ્યારે હું ક્રિકેટને અલવિદા કહીશ, ત્યારે મને અફસોસ થશે કે, એક સારો બેટ્સમેન હોવા છતાં, મારે બોલર તરીકે આગળ વધવું જોઈતું નહોતું. મને લાગે છે કે બોલરો અને બેટ્સમેન સાથે અલગ અલગ રીતે વ્યવહાર થતો હોય છે. એવી ધારણાની સાથે મેં સતત લડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ બોલરો અને બેટ્સમેન માટે અલગ-અલગ માપદંડો હોય છે અને વિવિધ પદ્ધતિઓ પણ...'

હકીકતમાં, અશ્વિનને પૂછવામાં આવ્યું હતું કે, પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બેટ્સમેન માટે એવો કોઈ નિયમ નથી કે તે ફક્ત સ્પિનરો અથવા બોલરો માટે જ હોય, આ પ્રશ્ન પર પ્રતિક્રિયા આપતા, અશ્વિને પોતે એક બોલર હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp