જસપ્રીત બૂમરાહ સાથે માત્ર લક્ષ્મણને જ વાત કરવાની છે પરમિશન: રિપોર્ટ

ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહની સર્જરી ન્યૂઝીલેન્ડમાં થઈ ચૂકી છે. રિકવરી પ્રોસેસ અને ઇજાની ગાઢતા બાબતે અત્યાર સુધી કોઈ જાણકારી મળી શકી નથી. આ બાબતે માત્ર નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)ના હેડ વી.વી.એસ. લક્ષ્મણને જ ખબર છે. તો એવા સમાચાર પણ મળી રહ્યા છે કે, જસપ્રીત બૂમરાહ સાથે વાત કરવાની મંજૂરી માત્ર નેશનલ ક્રિકેટ અકાદમીના ચીફ વી.વી.એસ. લક્ષ્મણને જ છે. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ મુજબ જસપ્રીત બૂમરાહના રેગ્યુલર અપડેટ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ માત્ર વી.વી.એસ. લક્ષ્મણને જ જવાબદારી સોંપી રાખી છે.

અહી સુધી કે સિલેક્ટર્સને પણ આઇડિયા નથી કે, સર્જરી બાદ જસપ્રીત બૂમરાહ કેવો છે અને તેની ઇજા કેવી છે. ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા BCCIના અધિકારીએ કહ્યું કે, BCCIમાં વધારે લોકોને જસપ્રીત બૂમરાહની ઇજા બાબતે ખબર નથી. માત્ર વી.વી.એસ. લક્ષ્મણ અને ફિઝિયોને જ તેમની સાથે વાત કરવાની મંજૂરી છે. સિલેક્શન કમિટીને પણ કહેવામાં આવ્યું છે કે તેમને સમય પર જસપ્રીત બૂમરાહની ઇજા બાબતે બતાવી દેવામાં આવશે.

એક રિપોર્ટ મુજબ, BCCIના એક અધિકારીએ જણાવ્યું કે, બૂમરાહની પીઠ હજુ નાજુક સ્થિતિમાં છે. તો ગત વખત બૂમરાહની વાપસીમાં ઉતાવળ કરવામાં આવી હતી કેમ કે તે એ સમયે પૂરી રીતે ફિટ થયો નહોતો. એટલે બોલિંગના સમયે તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખત અમે તેને લઈને ખૂબ ગંભીર છીએ, કેમ કે ખોટો કોલ કરીને કરિયર માટે ખૂબ નુકસાનકારક બની શકે છે. એક સીનિયર BCCI અધિકારીએ જણાવ્યું કે, બૂમરાહની વાપસીની તારીખ બતાવવી મુશ્કેલ છે. જ્યારે તે એક વખત સર્જરીથી સારો થઈ જશે તો રિહેબમાંથી પસાર થશે અને રિહેબ પૂરું થતા જ આપણને ખબર પડી શકશે કે તે ક્યારે વાપસી કરી શકે છે.

જસપ્રીત બૂમરાહ ગંભીર ઇજાના કારણે ઘણા મહિનાઓથી ક્રિકેટથી દૂર છે. ગયા વર્ષે એશિયા કપ સાથે સાથે તે T20 વર્લ્ડ કપથી પણ બહાર થઈ ગયો હતો. તો આ વર્ષની શરૂઆતમાં જ તેને ભારતીય ટીમમાં ઇજાના કારણે જગ્યા મળી નથી. હાલમાં જ જસપ્રીત બૂમરાહની ક્રાઇસ્ટચર્ચામાં સર્જરી થઈ છે. હવે આ સર્જરીના કારણે તે 6 મહિના સુધી મેદાનમાં વાપસી નહીં કરી શકે અને તેનો અર્થ એ થયો કે તે IPL દરમિયાન ઉપલબ્ધ નહીં રહે અને એશિયા કપમાં પણ તેનું રમવું મુશ્કેલ હશે. વર્લ્ડ કપના કારણે જસપ્રીત બૂમરાહને લઈને ખૂબ સાવધાની રાખવામાં આવી રહી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.