બાંગ્લાદેશ સામે ભારતની જીત પર ગુસ્સે થયા પાકિસ્તાની ફેન્સ, અમ્પાયર્સ પર...

T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે બાંગ્લાદેશી ટીમને 5 રને હરાવી દીધી. એડિલેડમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશી ટીમને 16 ઓવરમાં 151 રનનો સંશોધિત ટારગેટ મળ્યો હતો, પરંતુ તે 6 વિકેટ ગુમાવીને 145 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે જ ભારતીય ટીમનું સેમીફાઈનલમાં પહોંચવાનું લગભગ નક્કી થઈ ગયું છે. તો બાંગ્લાદેશ અને પાકિસ્તાન માટે મુશ્કેલ સમય આવી ગયો છે. ભારતીય ટીમની જીત બાદ બાંગ્લાદેશ અને પાકિસ્તાની ફેન્સ ગુસ્સે ભરાઈ ગયા.

તેમણે ફિલ્ડ અમ્પાયરો પર ભારતીય ટીમ અને BCCIના દબાવમાં ભીના મેદાનમાં મેચ શરૂ કરાવવાનો આરોપ લગાવ્યો. ઉલ્લેખનીય છે કે મેચમાં એક સમયે બાંગ્લાદેશી ટીમે ઓપનર લિટન દાસની વિસ્ફોટક ઇનિંગની મદદથી 7 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 66 રન બનાવી લીધા હતા. પછી વરસાદના કારણે ઘણા સમય સુધી મેચ રોકાઈ રહી. જ્યારે બાંગ્લાદેશી ટીમ વરસાદ બાદ બેટિંગ કરવા આવી તો ટીમનું મોમેન્ટ તૂટી ગયું હતું. વરસાદ ગયા બાદ ફરી મેચ શરૂ થવા અગાઉ બાંગ્લાદેશના કેપ્ટન શાકીબ અલ હસન અને અમ્પાયરો વચ્ચે લાંબી વાતચીત થઈ હતી.

બાંગ્લાદેશી ટીમ એ સમય સુધી ડેકવર્થ લૂઇસના નિયમોના આધાર પર 17 રન આગળ હતી. એવામાં શાકીબ અલ હસન ઈચ્છતો હતો કે, જ્યાં સુધી આઉટ ફિલ્ડ સુકાઈ ન જાય ત્યાં સુધી રમત શરૂ કરવામાં ન આવે. જોવા જઈએ તો અમ્પાયરે મેદાન પૂરી રીતે તૈયાર થવા પર જ રમત શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. રમત ફરી શરૂ થયા બાદ પહેલા બૉલ પર જ લિટન દાસ લપસી પણ ગયો હતો. ભારતીય ટીમની જીતનો અર્થ છે કે પાકિસ્તાની ટીમની સફર હવે ખૂબ મુશ્કેલ થઈ ચૂકી છે.

જો પાકિસ્તાની ટીમ દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશી ટીમ વિરુદ્ધ મેચ જીતી લે છે તો તેના 6 પોઈન્ટ રહેશે. એવામાં પાકિસ્તાન આશા રાખશે કે ઝીમ્બાબ્વે બાંગ્લાદેશને, જ્યારે નેધરલેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવી દે. ત્યારે એવી સ્થિતિમાં તે દક્ષિણ આફ્રિકાને પોઇન્ટના આધાર પર પાછળ છોડી શકે છે કે ભારત સાથે તેનો નેટ રનારેટનો મામલો બની શકે છે. કુલ મળીને કહીએ તો બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમની જીતના કારણે પાકિસ્તાની ટીમનું સેમીફાઇનલમાં જવાનું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.