IPL 2023માં પાકિસ્તાને ઊભી કરી અડચણ! PCBએ પોતાના શિડ્યૂલમાં કર્યો બદલાવ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અવારનવાર પોતાની હરકતોના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ PSLની આઠમી સિઝન પૂર્ણ થયા બાદ PCBના ચેરમેનનો કાર્યભાર સંભાળી રહેલા નઝમ સેઠીએ ડિજિટલ વ્યૂઅરશિપમાં IPLને પછાડવાનું હાસ્યાસ્પદ નિવેદન આપ્યું હતું. હવે PCBએ અચાનક કંઈક એવુ કર્યું છે જેના કારણે ક્યાંક ને ક્યાંક IPLમાં અડચણ આવી શકે છે. ન્યૂઝીલેન્ડની ટીમે પાકિસ્તાન વિરુદ્ધ એપ્રિલમાં પાંચ T20 અને પાંચ વનડે મેચોની સીરિઝ રમવાની છે. દરમિયાન IPL પણ ચાલી રહી હશે, જેની શરૂઆત 31 માર્ચથી થઈ જશે.

એવામાં ન્યૂઝીલેન્ડના ઘણા સ્ટાર ખેલાડી જે IPLમાં પણ ટીમોનો પ્રમુખ હિસ્સો છે તેમણે પોતાના દેશ માટે રમવુ પડશે અને તેઓ IPLની ટીમો સાથે મોડેથી જોડાઈ શકે છે. જોકે, હાલ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ તરફથી તેના પર કોઈ અપડેટ નથી આવ્યું. પરંતુ, સીરિઝનું શિડ્યૂલ છે તે ખૂબ જ અપડેટ છે. હવે તો વનડે અને T20 બંને સીરિઝના શિડ્યૂલમાં બદલાવ પણ કરી દેવામાં આવ્યો છે. T20 સીરિઝનું શિડ્યૂલ એક-એક દિવસ આગળ વધી ગયુ છે. પહેલા સીરિઝ 13થી 23 એપ્રિલની વચ્ચે રમાવાની હતી. પરંતુ, તે હવે 14થી 24 એપ્રિલ સુધી સીરિઝને રિશિડ્યૂલ કરવામાં આવી છે.

નવા કાર્યક્રમ અનુસાર, હવે T20 સીરિઝની પહેલી મેચ 13ના બદલે 14 એપ્રિલે રમાશે. જ્યારે છેલ્લી મેચ 23ને બદલે 24 એપ્રિલના રોજ રમાશે. તેમજ, બીજી, ત્રીજી અને ચોથી મેચ ક્રમશઃ 15, 17 અને 20 એપ્રિલે રમાશે. આ ઉપરાંત, વનડે સીરિઝના કાર્યક્રમમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. તે અનુસાર, આ સીરિઝ શરૂ અને પૂર્ણ પોતાની જૂની તારીખો પ્રમાણે જ થશે. પહેલી વનડે મેચ 26 એપ્રિલે રમાશે જ્યારે પાંચમી વનડે 7 મેના રોજ રમાશે. જ્યારે બીજી, ત્રીજી અને ચોથી વનડેની તારીખોમાં બદલાવ કરતા ક્રમશઃ 30 એપ્રિલ, 3 મે અને 5 મે ના રોજ ફાઇનલ કરવામાં આવી છે.

14 એપ્રિલથી 7 મે સુધી ન્યૂઝીલેન્ડને વ્હાઇટ બોલ સીરિઝ પાકિસ્તાનમાં રમાવાની છે. તેમજ, ન્યૂઝીલેન્ડના કેટલાક સ્ટાર ખેલાડી જેવાકે કેન વિલિયમસન (ગુજરાત ટાઇટન્સ), ટિમ સાઉદી (KKR), માઇકલ બ્રેસવેલ (RCB), મિચેન સેંટનર (CSK), ડેવોન કોન્વે (CSK), ફિન એલન (RCB) અને લોકી ફર્ગ્યુસન (ગુજરાત ટાઇટન્સ) પોતાના દેશ માટે રમવા માટે બાધ્ય હોઈ શકે છે. એવામાં IPL ફ્રેન્ચાઈઝીસને સીઝનમાં નુકસાન પહોંચી શકે છે.

જોકે, અત્યારસુધી આ સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની સ્ક્વોર્ડ પસંદ કરવામાં નથી આવી. તે પહેલા શ્રીલંકા વનડે સીરિઝ બાદ સાઉદી અને વિલિયમસનને બોર્ડ દ્વારા જલ્દી રીલિઝ કરવાની વાત કહેવામાં આવી હતી. પરંતુ, પાકિસ્તાન વિરુદ્ધ આગામી સીરિઝ પર કોઈ પણ સ્થિતિ સ્પષ્ટ નથી. હવે જોવુ એ રહેશે કે ન્યૂઝીલેન્ડ પોતાની જૂનિયર સ્ક્વોર્ડ આ સીરિઝ માટે પસંદ કરે છે કે પછી કેટલાક સીનિયર ખેલાડીઓએ IPL છોડીને આવવુ પડશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.