પાકિસ્તાન વર્લ્ડ કપ 2023ની મેચો ભારતમાં નહીં રમે, ICC લેવાની છે મોટો નિર્ણય

ભારત અને પાકિસ્તાન વચ્ચે બગડેલા રાજનૈતિક માહોલનો માર ક્રિકેટ ઝીલી રહી છે. એશિયા કપને લઈને પહેલા જ બંને દેશો વચ્ચે ખેચતાણ ચાલી રહી છે અને હવે વન-ડે (50 ઓવરના) વર્લ્ડ કપને લઈને પણ જે સમાચાર મળી રહ્યા છે તે ક્રિકેટ ફેન્સને નિરાશ કરી દેશે. ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટ મુજબ, પાકિસ્તાનની ટીમ આ વર્ષના અંતમાં થનારા વન-ડે વર્લ્ડ કપ 2023ની મેચ રમવા માટે ભારત નહીં આવે. બંને દેશો વચ્ચે થનારી મેચોની મેજબની ભારતની જગ્યાએ બાંગ્લાદેશ કરશે. માત્ર એટલું જ નહીં, જો ભારત અને પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહે છે તો ફાઇનલ મેચ પણ ભારતમાં નહીં રમાય.

રિપોર્ટ્સ મુજબ, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ પ્લાન પર અત્યારે વિચાર કરી રહી છે. જો આ પ્લાન પર સહમતી બને છે તો વર્લ્ડ કપ 2023 સાથે સાથે એશિયા કપનું આયોજન પણ આ પ્રકારે કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે સ્પષ્ટ કરી દીધું હતું કે ભારતીય ટીમ એશિયા કપ 2023માં હિસ્સો લેવા માટે પાકિસ્તાન નહીં જાય. જય શાહનું આ નિવેદન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને પસંદ આવ્યું નહોતું અને તેણે કહ્યું હતું કે જો ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો તે પણ વન-ડે વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં આવે. પાકિસ્તાને એશિયા કપ 2023ની મેજબાની કરવાની છે. જેનું આયોજન વર્લ્ડ કપથી બરાબર પહેલા થવાનું છે. રિપોર્ટ્સ મુજબ, ભારતીય ટીમ પણ એશિયા કપની પોતાની મેચો પાકિસ્તાન બહાર જ રમી શકે છે.

ભારતે એશિયા કપમાં ન્યૂટ્રલ વેન્યુ પર રમવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ PCB પણ વન-ડે વર્લ્ડ કપ મેચ કોઈ ન્યૂટ્રલ વેન્યૂ પર રમવા પર વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, PCBએ ભારતમાં થનારા વન-ડે વર્લ્ડ કપ માટે એક નવો ફોર્મ્યૂલા તૈયાર કર્યો છે, જે હેઠળ પાકિસ્તાન પોતાની મેચ ભારતની જગ્યાએ કોઈ ન્યૂટ્રલ વેન્યુ પર રમશે. આ સંબંધમાં PCBએ ICC અને ACCને પોતાના નિર્ણયથી અવગત કરાવી દીધી છે. જેને પાકિસ્તાનની મેજબાનીમાં 2025માં થનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ લાગૂ કરી શકાય છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજનૈતિક સંબંધ ખરાબ થવાના કારણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષિય સીરિઝ રમાઈ રહી નથી. છેલ્લા એક દશકથી બંને દેશો માત્ર ICC અને ACC ટૂર્નામેન્ટમાં જ એક-બીજા વિરુદ્ધ રમી રહ્યા છે. પાકિસ્તાનમાં વર્ષ 2009માં ક્રિકેટ ટીમ પર હુમલો થયા બાદ બધા દેશોએ ત્યાંનો પ્રવાસ રદ્દ કર્યો હતો. જો કે, સમય સાથે બાકી ટીમોએ ત્યાં રમવાની શરૂઆત કરી અને હવે લગભગ દરેક મોટી ટીમ ત્યાંનો પ્રવાસ કરી ચૂકી છે. જો કે, BCCI અત્યારે પણ ખેલાડીઓને પાકિસ્તાનમાં રમવાની મંજૂરી આપી રહી નથી કેમ કે ત્યાં તેમની સુરક્ષાને જોખમ છે.

About The Author

Related Posts

Top News

મહારાષ્ટ્રના મંત્રીએ એવી 'રમત' રમી કે રાજીનામું આપતાની સાથે જ DyCM પવાર CM પાસે દોડી ગયા

મહારાષ્ટ્રના રમતગમત મંત્રીએ જ મોટી 'ગેમ' રમી. નામ-માણિકરાવ કોકાટે, પક્ષ-DyCM અજિત પવારની NCP, આ કેસ ત્રણ...
National 
મહારાષ્ટ્રના મંત્રીએ એવી 'રમત' રમી કે રાજીનામું આપતાની સાથે જ DyCM પવાર CM પાસે દોડી ગયા

ઓમાન છે તો એક મુસ્લિમ દેશ, પણ ભારતીય ઉદ્યોગપતિઓ અગ્રેસર છે, 100 વર્ષ જૂનું મંદિર પણ છે

હાલમાં PM નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે છે. જોર્ડન અને ઇથોપિયાની મુલાકાત લીધા પછી, તેઓ હવે ઓમાન પહોંચ્યા છે. ...
Education 
ઓમાન છે તો એક મુસ્લિમ દેશ, પણ ભારતીય ઉદ્યોગપતિઓ અગ્રેસર છે, 100 વર્ષ જૂનું મંદિર પણ છે

બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

સુરત શહેર હવે નકલી વસ્તુઓનું હબ બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરતથી નકલી ઘી, નકલી પાન-મસાલાઓની...
Gujarat 
બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

કેનેડાના એજેક્સ (Ajax) સ્થિત એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી આશરે $2 મિલિયન (આશરે ₹18.5 કરોડ) ની કિંમતી વસ્તુઓની ચોરીનો મામલો સામે આવ્યો...
World 
કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.