પાકિસ્તાન વર્લ્ડ કપ 2023ની મેચો ભારતમાં નહીં રમે, ICC લેવાની છે મોટો નિર્ણય

ભારત અને પાકિસ્તાન વચ્ચે બગડેલા રાજનૈતિક માહોલનો માર ક્રિકેટ ઝીલી રહી છે. એશિયા કપને લઈને પહેલા જ બંને દેશો વચ્ચે ખેચતાણ ચાલી રહી છે અને હવે વન-ડે (50 ઓવરના) વર્લ્ડ કપને લઈને પણ જે સમાચાર મળી રહ્યા છે તે ક્રિકેટ ફેન્સને નિરાશ કરી દેશે. ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટ મુજબ, પાકિસ્તાનની ટીમ આ વર્ષના અંતમાં થનારા વન-ડે વર્લ્ડ કપ 2023ની મેચ રમવા માટે ભારત નહીં આવે. બંને દેશો વચ્ચે થનારી મેચોની મેજબની ભારતની જગ્યાએ બાંગ્લાદેશ કરશે. માત્ર એટલું જ નહીં, જો ભારત અને પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહે છે તો ફાઇનલ મેચ પણ ભારતમાં નહીં રમાય.

રિપોર્ટ્સ મુજબ, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ પ્લાન પર અત્યારે વિચાર કરી રહી છે. જો આ પ્લાન પર સહમતી બને છે તો વર્લ્ડ કપ 2023 સાથે સાથે એશિયા કપનું આયોજન પણ આ પ્રકારે કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે સ્પષ્ટ કરી દીધું હતું કે ભારતીય ટીમ એશિયા કપ 2023માં હિસ્સો લેવા માટે પાકિસ્તાન નહીં જાય. જય શાહનું આ નિવેદન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને પસંદ આવ્યું નહોતું અને તેણે કહ્યું હતું કે જો ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો તે પણ વન-ડે વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં આવે. પાકિસ્તાને એશિયા કપ 2023ની મેજબાની કરવાની છે. જેનું આયોજન વર્લ્ડ કપથી બરાબર પહેલા થવાનું છે. રિપોર્ટ્સ મુજબ, ભારતીય ટીમ પણ એશિયા કપની પોતાની મેચો પાકિસ્તાન બહાર જ રમી શકે છે.

ભારતે એશિયા કપમાં ન્યૂટ્રલ વેન્યુ પર રમવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ PCB પણ વન-ડે વર્લ્ડ કપ મેચ કોઈ ન્યૂટ્રલ વેન્યૂ પર રમવા પર વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, PCBએ ભારતમાં થનારા વન-ડે વર્લ્ડ કપ માટે એક નવો ફોર્મ્યૂલા તૈયાર કર્યો છે, જે હેઠળ પાકિસ્તાન પોતાની મેચ ભારતની જગ્યાએ કોઈ ન્યૂટ્રલ વેન્યુ પર રમશે. આ સંબંધમાં PCBએ ICC અને ACCને પોતાના નિર્ણયથી અવગત કરાવી દીધી છે. જેને પાકિસ્તાનની મેજબાનીમાં 2025માં થનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ લાગૂ કરી શકાય છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજનૈતિક સંબંધ ખરાબ થવાના કારણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષિય સીરિઝ રમાઈ રહી નથી. છેલ્લા એક દશકથી બંને દેશો માત્ર ICC અને ACC ટૂર્નામેન્ટમાં જ એક-બીજા વિરુદ્ધ રમી રહ્યા છે. પાકિસ્તાનમાં વર્ષ 2009માં ક્રિકેટ ટીમ પર હુમલો થયા બાદ બધા દેશોએ ત્યાંનો પ્રવાસ રદ્દ કર્યો હતો. જો કે, સમય સાથે બાકી ટીમોએ ત્યાં રમવાની શરૂઆત કરી અને હવે લગભગ દરેક મોટી ટીમ ત્યાંનો પ્રવાસ કરી ચૂકી છે. જો કે, BCCI અત્યારે પણ ખેલાડીઓને પાકિસ્તાનમાં રમવાની મંજૂરી આપી રહી નથી કેમ કે ત્યાં તેમની સુરક્ષાને જોખમ છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.