સૂર્યકુમાર યાદવના વધુ એક ફ્લોપ શૉ બાદ પિયુષ ચાવલાએ જણાવી તેની મોટી ખામી

ભારતીય ટીમના પૂર્વ સ્પિનર પિયુષ ચાવલાએ બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં સૂર્યકુમાર યાદવના શૉટ સિલેક્શનને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, સૂર્યકુમાર યાદવ સ્વીપ શૉટના માધ્યમથી ઘણા રન બનાવે છે, પરંતુ કેટલીક વખત આ શૉટના કારણે તેને પરેશાનીનો સામનો પણ કરવો પડે છે. સૂર્યકુમાર યાદવે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં 26 રન બનાવ્યા. આ દરમિયાન 3 ચોગ્ગા લગાવ્યા. સ્પિનર્સ વિરુદ્ધ તેણે મોટા ભાગે સ્વીપ શૉટનો ઉપયોગ કર્યો. જો કે, શાકિબ-અલ હસનના બૉલ પર તે બોલ્ડ થઈ ગયો અને મોટી ઇનિંગ રમીને ટીમને મેચમાં જીત આપવી ન શક્યો.

સૂર્યકુમાર યાદવ પ્રકારે વન-ડેમાં વધુ એક ઇનિંગમાં ફ્લોપ રહ્યો. પિયુષ ચાવલાએ સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત દરમિયાન સૂર્યકુમાર યાદવની બેટિંગને લઈને પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે, આ પીચ પૂરી રીતે અલગ હતી કેમ કે અહી સ્પિન પર બાઉન્સ ખૂબ થતો હતો. જે પેસ પર બાંગ્લાદેશી બોલર બોલિંગ કરી રહ્યા હતા, અહી પર સ્વીપ શૉટ પર પણ માત્ર એક જ રન મળી રહ્યો હતો. મને લાગે છે કે સૂર્યકુમાર યાદવે માત્ર એક રન માટે આટલું મોટું રિસ્ક લીધું. જો કે, આ તેનો ફેવરિટ શૉટ છે, પરંતુ કેટલીક વખત તે બે ધારી તલવાર બની જાય છે.

તમે જે શૉટ પર રન બનાવો છો, એ જ શૉટને રમતી વખત આઉટ પણ થઈ જાવ છો. આજની પરિસ્થિતિ પૂરી રીતે ખોટી હતી અને સૂર્યકુમાર યાદવને પોતાના સ્વીપ શૉટ પર પૂરી રીતે ભરોસો હતો. બાંગ્લાદેશે ભારતીય ટીમને રોમાંચક મેચમાં 6 રનથી હરાવી દીધી. પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશે સીમિત 50 ઓવરોમાં 8 વિકેટના નુકસાન પર 265 કરોડ બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ 49.5 ઓવરમાં 259 પર જ ઓલઆઉટ થઈ ગઈ.

આ મેચમાં ભારતીય ટીમને મળેલી હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું કે, અમે વર્લ્ડ કપને ધ્યાનમાં લઈને કેટલાક ખેલાડીઓને અજમાવવા માગતા હતા. અમે આ રમતને કેવી રીતે રમવા માગીએ છીએ તેના પર કોઈ સમજૂતી નહીં થઈ શકે. તેમાંથી કેટલાક એવા ખેલાડી છે જે વર્લ્ડ કપ રમી શકે છે. અક્ષર પટેલે સારી બેટિંગ કરી પરંતુ તે મેચને ફિનિશ ન કરી શક્યો. તેણે અંતમાં સારી બેટિંગ કરી, પરંતુ જીતનો શ્રેય પૂરી રીતે બાંગ્લાદેશને જાય છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.