દ્રવિડે જણાવ્યુ- રોહિત-વિરાટને કેમ આપવામાં આવી રહ્યો છે આરામ

હાલમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે અને ત્યાં વન-ડે સીરિઝ રમી રહી છે. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વન-ડે સીરિઝમાં ઘણા પ્રયોગ કરી રહી છે. પહેલી વન-ડેમાં બેટિંગ ક્રમને લઈને પ્રયોગ કરવામાં આવ્યા, તો બીજી મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ થયા. પહેલી વન-ડેમાં જીત બાદ ટીમ મેનેજમેન્ટે નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપ્યો. હાર્દિક પંડ્યાને કાર્યવાહક કેપ્ટન બનાવ્યો અને સંજુ સેમસન અને અક્ષર પટેલને સામેલ કરવામાં આવ્યા હતા.

ભારતીય ટીમને આ બદલાવોનું પરિણામ ભોગવવું પડ્યું અને બીજી વન-ડે મેચમાં 6 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો. હાર બાદ મેનેજમેન્ટના નિર્ણય પર સવાલ ઉઠાવવામાં આવ્યા. લગભગ 2 મહિના બાદ ICC વર્લ્ડ કપ રમાવાનો છે અને એ અગાઉ ટીમના સ્ટાર બેટ્સમેનોને વન-ડે ફોર્મેટમાં આરામ આપવાનો નિર્ણય સમજમાં આવતો નથી. મેચ બાદ રાહુલ દ્રવિડે તેનું કારણ બતાવ્યું. તેમણે કહ્યું કે, અમારી પાસે ખેલાડીઓને ટ્રાઇ કરવાનો અંતિમ અવસર હતો. અમારા ચાર ખેલાડી ઇજાગ્રસ્ત છે અને નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં છે.

એશિયા કપ અને વન-ડે વર્લ્ડ કપ અગાઉ અમારા પર ખૂબ ઓછો સમય બચ્યો છે. અમે એશિયા કપમાં જોખમ લઈ શકીએ છીએ, પરંતુ વર્લ્ડ કપમાં નહીં. એટલે અમે ઈચ્છીએ છીએ કે જો વસ્તુ ખરાબ થાય છે તો ઓછામાં ઓછો તેમની પાસે કંઈક અનુભવ હોય. તેનાથી અમારી પાસે નિર્ણય લેવા માટે ઘણા અવસર બની જાય છે. આ પ્રકારની સીરિઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને અવસર આપીને અમને અમારા સવાલોના જવાબ નહીં મળે. અમને ઇજાગ્રસ્ત ખેલાડીઓનો વિકલ્પ જોઈએ છે. આ સીરિઝમાં એક મેચ હાલમાં બાકી છે અને રાહુલ દ્રવિડના નિવેદન બાદ એ અનુમાન લગાવી શકાય છે કે આગામી મેચમાં પણ બદલાવ થઈ શકે છે.

જો બીજી વન-ડે મેચની વાત કરીએ તો વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય વેસ્ટ ઇન્ડીઝ માટે સાચો સાબિત થયો અને ભારતીય ટીમ 181 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. ઇશાન કિશને આ વખત પણ અડધી સદી બનાવી, જ્યારે શુભમન ગિલે 34 રન અને સૂર્યકુમાર યાદવે 24 રનની ઇનિંગ રમી. એ સિવાય બીજા ખેલાડી કંઈ ખાસ ન કરી શક્યા. તો 182 રનનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝે 36.4 ઓવરમાં જ તેને 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું.   

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.