પૃથ્વી શૉએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું-'લોકો ત્યારે સાથે છોડી દે છે, જ્યારે..'

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉ હાલના દિવસોમાં પોતાની ઘૂંટણની ઇજાથી બહાર આવી રહ્યો છે. પૃથ્વી શૉએ કાઉન્ટી ક્રિકેટ તરફ જવાનો નિર્ણય લીધો હતો અને બે ઇનિંગમાં સતત સદી ફટકારી હતી. તેમાં એક બેવડી સદી પણ સામેલ છે. વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર લયમાં નજરે પડી રહેલો પૃથ્વી શૉ ફરી એક વખત ઇજાગ્રસ્ત થઈ ગયો છે, જેના કારણે તે એક્શનથી દૂર થઈ ગયો છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે.

પૃથ્વી શૉએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે. આ તસવીરોમાં પૃથ્વી શૉનું ઇજાગ્રસ્ત ઘૂંટણ નજરે પડી રહ્યું છે, જેના કેપ્શનમાં તેને લખ્યું કે, ‘જ્યારે તમે જિંદગીમાં આગળ વધો છો તો લોકો હાથ આપે છે અને જ્યારે તમે નીચે પડો છો તો હંમેશાં સાથ છોડી દે છે.’ જો કે તેની કોઈ જાણકારી નથી કે પૃથ્વી શૉએ એવી સ્ટોરી કેમ લગાવી. તે મોટા ભાગે એવી સ્ટોરી લગાવીને સિલેક્ટર્સનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે.

23 વર્ષીય પૃથ્વી શૉએ નોર્થમ્પટનશાયર માટે શાનદાર પ્રદર્શ કર્યું અને સમરસેટ વિરુદ્ધ 244 રન બનાવ્યા. ત્યારબાદ ડરહમ વિરુદ્ધ રમેલી મેચમાં પણ પોતાની ટીમ માટે ઉચ્ચ પ્રદર્શન કરનારા ખેલાડીઓમાંથી એક હતો. તેણે એ મેચમાં (13 ઑગસ્ટના રોજ રમાયેલી મેચમાં) 76 બૉલમાં નોટઆઉટ 125 રનની ઇનિંગ રમી હતી અને પોતાની ટીમને જીત અપાવી હતી. જો કે, મેચના તુરંત બાદ તેને ઇજા થઈ ગઈ. મીડિયા રિપોર્ટ મુજબ, તેને પૂરી રીતે રિકવર થવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે.

નોર્થમ્પટનશાયરે પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, ડરહમ વિરુદ્ધ મેચમાં ફિલ્ડિંગ કરતી વખત પૃથ્વી શૉના ઘૂંટણમાં ઇજા થઈ અને આજે સવારે પ્રાપ્ત સ્કેન રિપોર્ટથી ખબર પડી જે ઇજા શરૂઆતમાં આશાથી વધુ ખરાબ છે. ઉલ્લેખનીય છે કે, પૃથ્વી શૉએ વન-ડે વર્લ્ડ કપ 2023 માટે પોતાની 4 ઇનિંગમાં 429 રન બનાવીને પોતાની ઉપયોગિતા સાબિત કરી હતી. તો ટીમના કોચ જોન સેડલર પણ પૃથ્વી શૉ જેવા પ્રતિભાશાળી ખેલાડીના આ પ્રકારે ટૂર્નામેન્ટથી બહાર થઈ જવાથી ખૂબ દુઃખી નજરે પડ્યા.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.