વર્લ્ડ કપમાં નિષ્ફળ ગયેલા અને માત્ર 106 રન બનાવનાર સૂર્યકુમારને પ્રમોશન, હવે...

PC: facebook.com/profile.php?id=100086794611508

ICC મેન્સ વન-ડે વર્લ્ડપ 2023માં ખરાબ રીતે નિષ્ફળ રહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડી સૂર્યકુમાર યાદવને BCCI અને પસંદગીકારોએ પ્રમોશન આપીને નવી જવાબદારી સોંપી છે. BCCIએ ઓસ્ટ્રેલિયા સામે રમાનારી આગામી T-20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. તેમાં કેપ્ટન તરીકેની જવાબદારી સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે.આખી વર્લ્ડકપની મેચમાં સૂર્યકુમારે માત્ર 106 રન બનાવ્યા હતા.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની T-20 સીરિઝ 23 નવેમ્બરથી વિશાખાપટ્ટ્મમાં શરૂ થઇ રહી છે અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકેની જવાબદારી સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત હોવાને કારણે બહાર છે અને રોહિત શર્મા સહિત અનેક સીનિયર ખેલાડીઓ પણ આ સીરિઝનો હિસ્સો નથી બનવાના.

વિશ્વકપમાં માત્ર 106 રન બનાવનાર સૂર્યા હવે એ ટૂર્નામેન્ટને ભૂલાવી દેવા માંગે છે. વર્લ્ડકપ પહેલા સૂર્ય ટીમ માટે એક્સ ફેકટર તરીકે ગણાતો હતો, પરંતુ તેણે એ લેવલ પર પરફોર્મન્સ ન આપ્યું. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે તેની વન-ડે કેરિયર જોખમમાં છે. જો કે, આ દરમિયાન, કેપ્ટન પદ મળ્યા પછી, સૂર્ય તેના મનપસંદ ફોર્મેટમાં ફ્રન્ટ ફૂટ પર રમવાની અપેક્ષા રાખવામાં આવશે. બીજી તરફ, અહેવાલો સૂચવે છે કે પંડ્યાને છથી આઠ અઠવાડિયા માટે આરામની સલાહ આપવામાં આવી છે.

શ્રેયસ ઐય્યર રાયપુર અને બેંગલુરમાં રમાનારી અંતિમ બે T-20માં વાઇસ કેપ્ટન તરીકે ટીમમાં સામેલ થશે. જ્યારે રૂતુરાજ ગાયકવાડ શરૂઆતની 3 મેચોમાં વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળશે.સૂર્યકુમાર યાદવ તેને મળેલી જવાબદારીને કેવી રીતે પાર પાડે છે તે જોવાનું રહેશે.

ભારતે આગામી વર્ષમાં T-20 વર્લ્ડકપ પણ રમવાનો છે અને તેની તૈયારી પણ શરૂ કરવી પડશે.

યજમાન ભારતે આયર્લેન્ડ T-20 સીરિઝમાં ભાગ લેનારા મોટાભાગના ખેલાડીઓને જાળવી રાખ્યા છે. જો કે, ભારતે 50 ઓવરના વર્લ્ડ કપની સમાપ્તિ પછી ઝડપી બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવાનું પસંદ કર્યું છે. બુમરાહ, જે ફરીથી ફિટ છે, તેણે આ વર્ષની શરૂઆતમાં આયર્લેન્ડ સીરિઝમાં બીજી ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી. ઇજાને કારણે વર્લ્ડકપમાં બહાર રહેલો ઓલરાઉન્ડર અક્ષર પટેલની વાપસી થઇ છે.

અક્ષર પણ પાછો ફર્યો છે, જ્યારે ઇશાન કિશન અને જીતેશ શર્માને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે સુપરસ્ટાર સંજુ સેમસનને ઓસ્ટ્રેલિયા T-20 માટે પસંદગી કરવામાં આવી નથી. T20 સીરિઝની મેચો વિશાખાપટ્ટનમ, તિરુવનંતપુરમ, ગુવાહાટી, રાયપુર અને બેંગલુરુમાં રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp