અશ્વિનના મતે ભારતીય ટીમે વર્લ્ડ કપમાં આ વાતથી રહેવું પડશે સાવધાન નહીં તો...

ભારતીય ટીમે વર્ષ 2023ની પહેલી બંને વન-ડે સીરિઝ જીતી લીધી છે. ટીમે પહેલા શ્રીલંકન ટીમને 3-0થી હરાવી દીધી હતી. હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ 2-0થી અજેય લીડ હાંસલ કરી લીધી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ આ પ્રદર્શનને આ વર્ષે ભારતમાં થનારા વન-ડે વર્લ્ડ કપ સુધી યથાવત રાખવા માગશે. વર્લ્ડ કપની મેચો ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં જ થવાની છે. એ સમયે ખૂબ ઠંડી રહે છે. એવામાં મેચમાં ઝાકળની ભૂમિકા મહત્ત્વની રહેવાની છે.

વર્ષ 2021માં T20 વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાન વિરુદ્ધ 10 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. એ મેચમાં ઝાકળની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહી હતી. ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઝાકળને લઇને મોટી વાત કહી છે. પોતાની યુટ્યુબ ચેનલ પર તેણે કહ્યું કે, ઝાકળ અને બાઉન્ડ્રીની દૂરી, આ બંને વસ્તુને નિયંત્રિત કરી શકાય નહીં. મારા હિસાબે ભારતીય ટીમે વર્લ્ડ કપમાં આ જ વસ્તુઓથી સાવધાન રહેવું પડશે. મેચ ભારતીય સમય મુજબ 1:30 શરૂ થવાની છે.

રવિચંદ્રન અશ્વિને ICCને સલાહ આપતા કહ્યું કે, મેચને 2 કલાક પહેલા એટલે કે સવારે 11:30 વાગ્યાથી શરૂ કરી શકાય છે. તેનાથી ઝાકળ ફેક્ટરને ઓછું કરવામાં મદદ મળશે. જો કે, તેનું માનવું છે કે ઘરેલુ પરિસ્થિતિઓના કારણે ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવાની મોટી દાવેદાર છે. વર્ષ 2019માં વન-ડે વર્લ્ડ કપ બાદ ઘર આંગણે ભારતીય ટીમના વન-ડે રેકોર્ડ જોઇએ તો તેણે પહેલા બેટિંગ કરતા 12માંથી 9 મેચ જીતી છે અને 3  મેચોમાં હાર મળી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમ 336 રન બનાવીને પણ મેચ ગુમાવી ચૂકી છે.

એવામાં નોકઆઉટ કે મહત્ત્વની મેચમાં ઝાકળ ફેક્ટર બની શકે છે. તો લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે વર્ષ 2019માં વન-ડે વર્લ્ડ કપ બાદ ઘર આંગણે 8માંથી 7 મેચ જીતી છે. આ દરમિયાન ટીમે 3 મેચમાં 280 કે તેનાથી વધુ રન બનાવીને જીત હાંસલ કરી છે. આમ પણ લક્ષ્યનો પીછો કરતા વિરાટ કોહલીનો રેકોર્ડ પણ શાનદાર છે. ભારતીય ટીમ માટે વર્લ્ડ કપ એટલે પણ મહત્ત્વનો છે કેમ કે તેને 12 વર્ષથી ટાઇટલની રાહ છે. ટીમે છેલ્લી વખત વર્ષ 2011માં ઘર આંગણે જ વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે ટીમે ફાઇનલમાં શ્રીલંકન ટીમને હરાવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ટીમે લક્ષ્યનો પીછો કરતા જ ત્યારે જીત હાંસલ કરી હતી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.