ગિલે સદી મારતા ટ્રોલર્સના નિશાના પર આવ્યો રાહુલ, સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝની અંતિમ મેચ અમદાવાદમાં રમવામાં આવી રહી છે. આ ટેસ્ટ મેચમાં શુભમન ગિલે સદી ફટકારી છે. શુભમન ગિલ આ ટેસ્ટ સીરિઝમાં સદી મારનારો બીજો બેટ્સમેન છે. શુભમન ગિલે તો પોતાનું કામ કરી દીધુ પરંતુ, કે એલ રાહુલને મુસીબતમાં મુકી દીધો. ગિલની સેન્ચ્યુરી બાદ હવે સોશિયલ મીડિયા પર કે એલ રાહુલને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. શુભમન ગિલને કે એલ રાહુલની જગ્યા પર જ રમાડવામાં આવી રહ્યો છે કારણ કે, છેલ્લાં ઘણા દિવસોથી કે એલ રાહુલ ખૂબ જ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો.

શુભમન ગિલની સેન્ચ્યુરી બાદ સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારના મીમ્સ શેર કરી રહ્યા છે. ઘણા લોકો કમેન્ટ્સ કરીને કહી રહ્યા છે કે, કે એલ રાહુલની ટીમમાંથી છુટ્ટી પાક્કી થઈ ગઈ છે. એટલે કે હવે કે એલ રાહુલ ટીમ ઈન્ડિયામાં દેખાશે નહીં. ટ્વિટર પર તો મીમ્સનું પૂર આવી ગયુ છે. કેટલાક લોકોએ તો કે એલ રાહુલને અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના, ગીત ગાતો બતાવ્યો છે. કે એલ રાહુલને આ સીરિઝની પહેલી બે ટેસ્ટ મેચમાં તક મળી હતી પરંતુ, તે ફ્લોપ સાબિત થયો હતો. હવે સોશિયલ મીડિયા પર કે એલ રાહુલને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

તેમજ એ પણ ના ભૂલો કે બહારથી યશસ્વી જયસ્વાલે પણ સિલેક્ટર્સ પર પ્રેશર એટલું વધારી દીધુ છે કે, રાહુલ ગિલ અને જયસ્વાલની વચ્ચે સેન્ડવિચ જેવો દેખાઈ રહ્યો છે. હાલ, ગિલે સદી ફટકારી, તો પહેલાથી જ ફેન્સના નિશાના પર ચાલી રહેલા કેએલ રાહુલને ટ્રોલ કરવાની ફેન્સને વધુ એક તક મળી ગઈ અને સોશિયલ મીડિયા પર મજેદાર કમેન્ટ્સ અને મીમ્સનું પૂર આવી ગયું.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં આજે (11-3-23) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ચોથી તેમજ છેલ્લી ટેસ્ટના ત્રીજા દિવસની ગેમ રમાઇ. જણાવી દઈએ કે, પહેલી ઈનિંગમાં મહેમાન ટીમે 480 રન બનાવ્યા. તેમજ, તેના જવાબમાં ત્રીજા દિવસની ગેમ પૂર્ણ થવા સુધી ભારતીય ટીમ 3 વિકેટ ગુમાવીને 289 રન બનાવ્યા.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.