ન્યૂઝીલેન્ડ સીરિઝ વચ્ચે ટીમમાંથી થશે બહાર કોહલી? શાસ્ત્રીના નિવેદને મચાવી સનસની

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ 7 વર્ષ સુધી ભારતીય ટીમમાં કોચની ભૂમિકા ભજવી. રવિ શાસ્ત્રી નીડરતાથી પોતાની વાત રાખવા માટે જાણીતા છે. તેમણે હાલમાં જ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલીને લઇને એક મોટું નિવેદન આપ્યું છે, જેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેચી લીધું છે. રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને એક મહત્ત્વની સલાહ આપી છે, વિરાટ કોહલી જો આ સલાહ માને છે તો તે વન-ડે સીરિઝની વચ્ચેથી જ બહાર થઇ શકે છે.

વિરાટ કોહલી આ સમયે ખૂબ જ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં વિરાટ કોહલીએ વ્હાઇટ બોલ ક્રિકેટમાં ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ ટેસ્ટ મેચોમાં તે અત્યારે પણ પોતાનું લય હાંસલ કરી શક્યો નથી. એવામાં પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે વિરાટ કોહલીએ વન-ડે સીરિઝની છેલ્લી મેચ ન રમીને રણજી ટ્રોફીમાં રમવું જોઇએ, જેથી તે ફોર્મમાં આવી શકે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે આગામી મહિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમવાની છે, એટલે રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને આ સલાહ આપી છે.

રવિ શાસ્ત્રીએ વન-ડે સીરિઝની પહેલી મેચ દરમિયાન કમેન્ટ્રી કરતા કહ્યું કે, મને લાગે છે કે વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે ન રમીને બોર્ડર ગાવસ્કર સીરિઝની તૈયારી માટે રણજી મેચ રમવી જોઇએ. તેમણે સચિન તેંદુલકરનું ઉદાહરણ આપતા આગળ કહ્યું કે, 25 વર્ષ અગાઉ સચિન તેંદુલકર એક ઓસ્ટ્રેલિયન ટીમ વિરુદ્ધ CCIમાં રમવા ગયા અને બેવડી સદી ફટકારી. 2 મહિના બાદ વર્ષ 1998માં તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બધા ફોર્મેટને મલાવીને 1000થી ઉપર રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીએ ટેસ્ટમાં પોતાની છેલ્લી સદી 23 નવેમ્બર 2019ના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ લગાવી હતી. તેમણે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં ડે નાઇટ ટેસ્ટમાં સદીવાળી ઇનિંગ રમી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 136 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેઓ વર્ષ 2020, વર્ષ 2021 અને વર્ષ 2022માં સદી બનાવી શક્યો નથી. એવામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી 4 મેચોની ટેસ્ટ સીરિઝ વિરાટ કોહલી માટે ખૂબ મહત્ત્વની રહેવાની છે. ખેર હવે જોવાનું એ રહેશે કે વિરાટ કોહલી શું નિર્ણય લે છે. તે વન-ડે સીરિઝથી બહાર થાય છે કે પછી રમવાનું ચાલુ રાખે છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.