WTC માટે જાહેર કરાયેલી ભારતીય ટીમ અંગે શાસ્ત્રીએ કહી દીધી મોટી વાત

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ધ ઓવલ મેદાનમાં રમાશે. આ મેચ 7થી 11 જૂનની વચ્ચે આયોજિત કરવામાં આવશે. તેના માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. ભારતના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે. તેને ગત વર્ષે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ બહાર કરી દેવામાં આવ્યો હતો. અજિંક્ય રહાણે ઉપરાંત ટીમમાં ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુરની પણ વાપસી થઈ છે. આ મેચ માટે સિલેક્ટર્સે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ તેને અત્યારસુધીની બેસ્ટ ટીમ ગણાવી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમની જાહેરાત થયા બાદ રવિ શાસ્ત્રીએ ટ્વીટ કરીને લખ્યું, બેસ્ટ ઇન્ડિયન ટીમની પસંદગી કરવામાં આવી છે. સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટે ખૂબ જ સારું કામ કર્યું છે.

રોહિત શર્મા ટીમના કેપ્ટનની જવાબદારી સંભાળશે. તેની સાથે ટીમમાં શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને કેએલ રાહુલ છે. સ્પેશ્યલિસ્ટ વિકેટ કીપર તરીકે કેએસ ભરતની પસંદગી કરવામાં આવી છે. ફાસ્ટ બોલર્સમાં શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને જયદેવ ઉનડકટ છે. તેમજ, સ્પિન વિભાગની જવાબદારી રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા પર હશે.

સીનિયર બેટ્સમેન અજિંક્ય રહાણે છેલ્લાં કેટલાક સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. રહાણે IPL 2023માં ચેન્નઇ સુપર કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે અત્યારસુધી પાંચ મેચોમાં 52.25ની સરેરાશથી અને 199.04ની સ્ટ્રાઇક રેટથી 209 રન બનાવ્યા છે. શ્રેયસ ઐય્યરના ઇજાગ્રસ્ત હોવાના કારણે, સિલેક્ટર્સે અજિંક્ય રહાણેને તેના IPL અને રણજી ટ્રોફીમાં સારા પ્રદર્શનના આધાર પર વધુ એક તક આપી છે. આ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં અત્યારસુધી પ્રભાવિત ના કરી શકનારા સૂર્યકુમાર યાદવને ટીમમાં જગ્યા નથી મળી શકી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટેસ્ટ ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઓસ્ટ્રેલિયન ટીમ

પેટ કમિંસ (કેપ્ટન), સ્કોટ બોલાંડ, એલેક્સ કેરી, કેમરન ગ્રીન, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિચેલ માર્શ, ટોડ મર્ફી, મેથ્યૂ રેનશૉ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક અને ડેવિડ વોર્નર.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.