ખેલાડીઓએ IPL છોડી દેવુ જોઈએ અને બોર્ડે... શાસ્ત્રીએ આપ્યું ચોંકાવનારું નિવેદન

વનડે વર્લ્ડ કપ 2023 ભારતમાં રમાવાનો છે પરંતુ, વર્લ્ડ કપ પહેલા ખેલાડીઓની ઇન્જરી ટીમ ઈન્ડિયા માટે ચિંતા વધારી રહી છે. જ્યારે, રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલ અને એશિયા કપમાં પણ ભાગ લેવાનો છે. એક તરફ ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ લાંબા સમયથી ઈજાઓ સામે ઝઝૂમી રહ્યો છે, જેના પગલે તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માંથી તો બહાર થઈ જ ગયા છે અને સમાચાર એવા છે કે કદાચ WTC ફાઇનલમાં પણ સામેલ ના થઈ શકે. દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે કે, બેટ્સમેન શ્રેયસ ઐય્યર પણ લાંબા સમયથી એક્શનમાં નથી દેખાઈ રહ્યો. એવામાં મેન પ્લેયર્સની ઇન્જરી ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય જરૂર છે.

ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝમાં હાર બાદ, ભારતના કેપ્ટન રોહિત શર્માએ ખેલાડીઓને વર્લ્ડ કપ પહેલા પર્યાપ્ત આરામ કરવાને લઈને વાત કરી. હવે ભારતના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ વર્ક લોડ મેનેજમેન્ટના મહત્ત્વ પર ભાર આપતા કહ્યું છે કે, ખેલાડીઓ અને બોર્ડે આના પર ગંભીરતાથી વાત કરવાની જરૂર છે.

મને એ કલ્પના કરવી મુશ્કેલ લાગે છે, તમે એ યુગને જુઓ જેમા અમે રમતા હતા, તે સમયે જે સુવિધાઓ ઉપલબ્ધ હતી, તમે ખેલાડીઓને 8-10 વર્ષ સરળતાથી રમતા જોયા. તેમાંથી ઘણા 8-10 મહિના સતત રમતા હતા. હું વાસ્તવમાં નથી જાણતો કે શું થઈ રહ્યું છે. કદાચ ક્રિકેટ વધી ગયુ છે, એમા કોઈ સવાલ નથી. દુનિયાભરમાં અલગ-અલગ લીગ છે. શાસ્ત્રીએ સ્પોર્ટ્સ યારી સાથે વાતચીત કરતા આ વાતો કહી હતી. શાસ્ત્રીએ આગળ સલાહ આપતા કહ્યું કે, જો જરૂર હોય તો ખેલાડીઓએ એવુ કહેતા IPL છોડી દેવુ જોઈએ અને બોર્ડે ફ્રેન્ચાઈઝી માલિકો સાથે વાત કરવી જોઈએ અને ખેલાડીઓ માટે સ્ટેન્ડ લેવો જોઈએ.

રવિ શાસ્ત્રીએ આગળ કહ્યું કે, તમારે એટલું જ ક્રિકેટ રમવુ જોઈએ જેટલાની જરૂર છે અને તમારે નિશ્ચિત બ્રેક પણ લેવો જોઈએ. ભલે IPL હોય. બોર્ડે ત્યાં સ્ટેન્ડ લેવુ પડશે, ફ્રેન્ચાઈઝીને કહેવુ પડશે, સાંભળો, અમને તેમની જરૂર છે. ભારતને તેમની જરૂર છે. દેશ માટે, જો તે એ લીગમાં નહીં રમશે, તો તે સારું રહેશે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.