રવિ શાસ્ત્રીએ ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમને મળેલી હાર પાછળનું કારણ જણાવ્યું

ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં મળેલી હાર પાછળ પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ એક મોટું કારણ બતાવ્યું છે. તેમણે કહ્યું કે, ભારતીય ટીમ ઓવર કોન્ફિડેન્સનો શિકાર થઇ ગઇ અને આ કારણે તેને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રવિ શાસ્ત્રીના જણાવ્યા મુજબ, ભારતીય ટીમે વસ્તુને હલકામાં લઇ લીધી અને આ જ વસ્તુ તેને ભારે પડી ગઇ છે. ભારતીય ટીમને ઇન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા માત્ર 109 રન બનાવ્યા હતા, જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 197 રન બનાવતા 88 રનોની લીડ હાંસલ કરી લીધી હતી. ભારતીય ટીમની બીજી ઇનિંગ 163 રન પર સમેટાઇ ગઇ હતી અને ઓસ્ટ્રેલિયાને પહેલી ઇનિંગની લીડના કારણે માત્ર 76 રનનો ટારગેટ મળ્યો હતો. જેને ઓસ્ટ્રેલિયન ટીમે 9 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમે પહેલી 2 મેચ ખૂબ સરળતાથી પોતાના નામે કરી લીધી હતી, પરંતુ ત્રીજી ટેસ્ટ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો.

રવિ શાસ્ત્રીના જણાવ્યા મુજબ, ભારતીય ટીમે વસ્તુઓને હલકામાં લઇ લીધી હતી. તેમણે કહ્યું કે, ટીમ થોડી ઘણી સહજ થઇ ગઇ અને થોડું ઓવર કોન્ફિડેન્સ તેની અંદર આવી ગયું હતું. જ્યારે તમે વસ્તુને હલકામાં લેવા લાગો છો અને એ ઝનૂનને ઓછો કરી દો છો તો પછી આ ગેમ તમને નીચે લઇ જાય છે. આ ત્રણેય વસ્તુના કોમ્બિનેશનના કારણે જ ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો. બેટ્સમેનોએ કેટલાક શોટ્સ એવી રીતે રમ્યા જેમ કે તેઓ ડોમિનેટ કરવા માગતા હોય.

ભારતીય ટીમે પહેલી 2 મેચ જીતી હતી, પરંતુ ઇન્દોરમાં રમાયેલી ત્રીજી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો. આ હારના કારણે ભારતીય ટીમની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)નો માર્ગ પણ હવે થોડો મુશ્કેલ થઇ ગયો છે. અને ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. હવે આ બંને ટીમો વચ્ચે ચોથી અને છેલ્લી મેચ અમદાવાદમાં રમવાની છે. આ મેચ ભારતીય ટીમ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ રહેવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા જઇ રહી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.