રવિ શાસ્ત્રીએ ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમને મળેલી હાર પાછળનું કારણ જણાવ્યું

ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં મળેલી હાર પાછળ પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ એક મોટું કારણ બતાવ્યું છે. તેમણે કહ્યું કે, ભારતીય ટીમ ઓવર કોન્ફિડેન્સનો શિકાર થઇ ગઇ અને આ કારણે તેને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રવિ શાસ્ત્રીના જણાવ્યા મુજબ, ભારતીય ટીમે વસ્તુને હલકામાં લઇ લીધી અને આ જ વસ્તુ તેને ભારે પડી ગઇ છે. ભારતીય ટીમને ઇન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા માત્ર 109 રન બનાવ્યા હતા, જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 197 રન બનાવતા 88 રનોની લીડ હાંસલ કરી લીધી હતી. ભારતીય ટીમની બીજી ઇનિંગ 163 રન પર સમેટાઇ ગઇ હતી અને ઓસ્ટ્રેલિયાને પહેલી ઇનિંગની લીડના કારણે માત્ર 76 રનનો ટારગેટ મળ્યો હતો. જેને ઓસ્ટ્રેલિયન ટીમે 9 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમે પહેલી 2 મેચ ખૂબ સરળતાથી પોતાના નામે કરી લીધી હતી, પરંતુ ત્રીજી ટેસ્ટ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો.

રવિ શાસ્ત્રીના જણાવ્યા મુજબ, ભારતીય ટીમે વસ્તુઓને હલકામાં લઇ લીધી હતી. તેમણે કહ્યું કે, ટીમ થોડી ઘણી સહજ થઇ ગઇ અને થોડું ઓવર કોન્ફિડેન્સ તેની અંદર આવી ગયું હતું. જ્યારે તમે વસ્તુને હલકામાં લેવા લાગો છો અને એ ઝનૂનને ઓછો કરી દો છો તો પછી આ ગેમ તમને નીચે લઇ જાય છે. આ ત્રણેય વસ્તુના કોમ્બિનેશનના કારણે જ ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો. બેટ્સમેનોએ કેટલાક શોટ્સ એવી રીતે રમ્યા જેમ કે તેઓ ડોમિનેટ કરવા માગતા હોય.

ભારતીય ટીમે પહેલી 2 મેચ જીતી હતી, પરંતુ ઇન્દોરમાં રમાયેલી ત્રીજી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો. આ હારના કારણે ભારતીય ટીમની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)નો માર્ગ પણ હવે થોડો મુશ્કેલ થઇ ગયો છે. અને ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. હવે આ બંને ટીમો વચ્ચે ચોથી અને છેલ્લી મેચ અમદાવાદમાં રમવાની છે. આ મેચ ભારતીય ટીમ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ રહેવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા જઇ રહી છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.