આજકાલના ક્રિકેટરો અહંકારી, કપિલના નિવેદન પર જાડેજાનો આવ્યો જવાબ

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે હાલમાં જ કહ્યું કે, ભારતીય ટીમમાં સ્ટાર ખેલાડીઓમાં પૈસાને કારણે અહંકાર આવી ગયો છે. આ કારણે તેઓ પૂર્વ ક્રિકેટરોની પાસે જઇને તેમની પાસેથી સલાહ લેતા નથી. પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનના આ નિવેદને ભારતીય ફેન્સની વચ્ચે હંગામો મચાવી દીધો હતો. હવે, ભારતના મહાન પૂર્વ કેપ્ટનના નિવેદન પર ભારતીય ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાએ રિએક્ટ કર્યું છે. BCCI દ્વારા એક વીડિયો રીલિઝ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જાડેજાએ આ વિષયે પોતાના વિચાર રજૂ કર્યા છે. જાડેજાએ કહ્યું કે ટીમના ખેલાડીઓમાં કોઈપણ રીતનો અહંકાર નથી.

 

રવિન્દ્ર જાડેજાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મને નથી ખબર કે તેમણે ક્યારે આ વાત કહી છે. હું સોશિયલ મીડિયા પર આવી વાતો સર્ચ કરતો નથી. જુઓ સૌ કોઈને પોતાની વાત રજૂ કરવાનો હક છે. પૂર્વ ક્રિકેટરોને તેઓ શું વિચારે છે તેને કહેવાનો સંપૂર્ણ અધિકાર છે. મને નથી લાગતું કે ટીમમાં કોઈપણ ખેલાડીમાં ઘમંડ કે અહંકાર છે.

જણાવીએ કે, હાલમાં જ ધ વીકની સાથે વાત કરતા કપિલ દેવે કહ્યું હતું કે, ક્યારેક જ્યારે વધારે પૈસા આવી જાય છે તો અહંકાર આવી જાય છે. આ ક્રિકેટરોને લાગે છે કે તેઓને બધી જ વાતની ખબર છે. બધું જ જાણે છે.

વાત એ છે કે, વેસ્ટઈન્ડિઝમાં ચાલી રહેલી વનડે શ્રેણીની બીજી મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. જેને કારણે ભારતીય ટીમની ઘણી ટીકા કરવામાં આવી હતી. કપિલ દેવે ટીમના સીનિયર ખેલાડીઓને પણ ફટકાર લગાવી હતી. તો બીજી તરફ જાડેજાએ કહ્યું કે, ભલે અમને બીજી વનડેમાં હાર નસીબ થઇ પણ અમે ત્રીજી વનડે જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરીશું.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર જાડેજાએ કહ્યું કે, ખેલાડી માત્ર ટીમ માટે સારું પ્રદર્શન કરવા માગે છે અને તેમનો કોઇ અંગત એજન્ડો નથી. સૌ કોઈ પોતાની ક્રિકેટની મજા માણી રહ્યા છે અને બધા મહેનતુ છે. કોઈએ પણ ક્રિકેટને હળવાશમાં લીધી નથી. તેઓ પોતાના 100 ટકા આપી રહ્યા છે.

વનડે સીરીઝની ત્રીજી મેચ પહેલી ઓગસ્ટના રોજ બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. પહેલી વનડે મેચ ભારતે જીતી હતી અને બીજી મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં સીરિઝ 1-1ની બરોબરી પર છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.