આજકાલના ક્રિકેટરો અહંકારી, કપિલના નિવેદન પર જાડેજાનો આવ્યો જવાબ

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે હાલમાં જ કહ્યું કે, ભારતીય ટીમમાં સ્ટાર ખેલાડીઓમાં પૈસાને કારણે અહંકાર આવી ગયો છે. આ કારણે તેઓ પૂર્વ ક્રિકેટરોની પાસે જઇને તેમની પાસેથી સલાહ લેતા નથી. પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનના આ નિવેદને ભારતીય ફેન્સની વચ્ચે હંગામો મચાવી દીધો હતો. હવે, ભારતના મહાન પૂર્વ કેપ્ટનના નિવેદન પર ભારતીય ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાએ રિએક્ટ કર્યું છે. BCCI દ્વારા એક વીડિયો રીલિઝ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જાડેજાએ આ વિષયે પોતાના વિચાર રજૂ કર્યા છે. જાડેજાએ કહ્યું કે ટીમના ખેલાડીઓમાં કોઈપણ રીતનો અહંકાર નથી.

 

રવિન્દ્ર જાડેજાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મને નથી ખબર કે તેમણે ક્યારે આ વાત કહી છે. હું સોશિયલ મીડિયા પર આવી વાતો સર્ચ કરતો નથી. જુઓ સૌ કોઈને પોતાની વાત રજૂ કરવાનો હક છે. પૂર્વ ક્રિકેટરોને તેઓ શું વિચારે છે તેને કહેવાનો સંપૂર્ણ અધિકાર છે. મને નથી લાગતું કે ટીમમાં કોઈપણ ખેલાડીમાં ઘમંડ કે અહંકાર છે.

જણાવીએ કે, હાલમાં જ ધ વીકની સાથે વાત કરતા કપિલ દેવે કહ્યું હતું કે, ક્યારેક જ્યારે વધારે પૈસા આવી જાય છે તો અહંકાર આવી જાય છે. આ ક્રિકેટરોને લાગે છે કે તેઓને બધી જ વાતની ખબર છે. બધું જ જાણે છે.

વાત એ છે કે, વેસ્ટઈન્ડિઝમાં ચાલી રહેલી વનડે શ્રેણીની બીજી મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. જેને કારણે ભારતીય ટીમની ઘણી ટીકા કરવામાં આવી હતી. કપિલ દેવે ટીમના સીનિયર ખેલાડીઓને પણ ફટકાર લગાવી હતી. તો બીજી તરફ જાડેજાએ કહ્યું કે, ભલે અમને બીજી વનડેમાં હાર નસીબ થઇ પણ અમે ત્રીજી વનડે જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરીશું.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર જાડેજાએ કહ્યું કે, ખેલાડી માત્ર ટીમ માટે સારું પ્રદર્શન કરવા માગે છે અને તેમનો કોઇ અંગત એજન્ડો નથી. સૌ કોઈ પોતાની ક્રિકેટની મજા માણી રહ્યા છે અને બધા મહેનતુ છે. કોઈએ પણ ક્રિકેટને હળવાશમાં લીધી નથી. તેઓ પોતાના 100 ટકા આપી રહ્યા છે.

વનડે સીરીઝની ત્રીજી મેચ પહેલી ઓગસ્ટના રોજ બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. પહેલી વનડે મેચ ભારતે જીતી હતી અને બીજી મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં સીરિઝ 1-1ની બરોબરી પર છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.