ફાઇનલ અગાઉ CSKને ઝટકો, આ દિગ્ગજ ખેલાડીએ સંન્યાસની કરી જાહેરાત

28 મેના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમવાની હતી, પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદ વિલન બન્યો અને મેચ રિઝર્વ ડેના દિવસે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. તો આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમના અનુભવી બેટ્સમેન અંબાતી રાયડુએ આ સીઝન બાદ પોતાના IPL કરિયર પર પૂર્ણવિરામ લગાવવાની જાહેરાત કરી દીધી છે. ટીમ માટે આ સીઝનમાં બેટથી કંઈ ખાસ યોગદાન ન આપી શકવાના કારણે આ નિર્ણય લીધો છે.

સોશિયલ મીડિયા પર અંબાતી રાયડુએ પોતાના ફેન્સ માટે એક ભાવુક સંદેશ શેર કરતા સંન્યાસ બાબતે જાણકારી આપી હતી. આ અગાઉ પણ IPLમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી ચૂકેલા આ ખેલાડીએ સંદેશ સાથે એ વાતને પણ પાક્કી કરી કે આ તેનો અંતિમ નિર્ણય છે અને આ વખત યુટર્ન નહીં લે. અંબાતી રાયડુએ ટ્વીટર પર લખ્યું કે, 2 શાનદાર IPL ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ, 14 સીઝન, 11 પ્લેઓફ, 8 ફાઇનલ અને 5 IPL ટ્રોફી. હું આશા રાખું છું કે આજે સાંજે મારી છઠ્ઠી IPL ટ્રોફી થઈ જાય.

અંબાતી રાયડુએ લખ્યું કે, મારી અત્યાર સુધીની યાત્રા કમાલની રહી અને હવે મેં નિર્ણય લીધો કે IPLની આ છેલ્લી મેચ મારી છેલ્લી IPL મેચ હશે. મેં આ ખૂબ જ શાનદાર ટૂર્નામેન્ટમાં રમવાનો ભરપૂર આનંદ ઉઠાવ્યો. તમારા બધાનો આભાર અને આ વખત હું પોતાનો આ નિર્ણય નહીં બદલું. અંબાતી રાયડુએ IPLમાં કુલ 203 મેચ રમી છે. 2 ફ્રેન્ચાઇઝી તરફથી રમનારા આ બેટ્સમેને કુલ 4329 રન બનાવ્યા છે, જેમાં નોટઆઉટ 100 રન તેની સૌથી શાનદાર ઇનિંગ રહી. અંબાતી રાયડુના નામે IPLમાં 171 સિક્સ અને 358 ફોર નોંધાયેલા છે.

બીજી તરફ રાયડુએ પોતાના 12 વર્ષના ક્રિકટ કરિયરમાં ભારતીય ટીમ માટે 55 વન-ડે અને 6 T20 મેચ પણ રમી છે, જેમાં તેણે ક્રમશઃ 1694 અને 42 રન બનાવ્યા છે. 37 વર્ષીય અંબાતી રાયડુએ પોતાના IPL કરિયરની શરૂઆત વર્ષ 2010માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધની મેચથી કરી હતી અને તે વર્ષ 2017 સુધી મુંબઈ ઇન્ડિયન્સ તરફથી IPL રમતો નજરે પડ્યો. ત્યારબાદ જ્યારે 2 વર્ષના પ્રતિબંધ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે IPLમાં વાપસી કરી હતી તો એ સમયે ચેન્નાઈ સુપર કિંગ્સે રાયડુને પોતાની ટીમમાં સામેલ કરી લીધો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.