રિષભ પંતને એરલિફ્ટ કરી મુંબઈ લઈ જવાયો, આ હોસ્પિટલમાં થશે ઓપરેશન

કાર એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત ક્રિકેટર રિષભ પંતને આજે દેહરાદૂનથી એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યો. અહીં કોકિલાબેન હોસ્પિટલમાં તેની આગળની સારવાર થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, હોસ્પિટલના સ્પોર્ટ્સ મેડિસિન એન્ડ ઓર્થોસ્કોપી હેડ ડૉક્ટર દિનશૉ પારદીવાલાની દેખરેખમાં પંતની ટ્રીટમેન્ટ થશે. ડૉ. પારદીવાલા આ પહેલા સચિન તેંદુલકર, યુવરાજ સિંહ, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા જેવા ક્રિકેટર્સની સારવાર કરી ચુક્યા છે.

BCCIએ એ પણ જણાવ્યું છે કે, પંતના ઘૂંટણની લિગામેન્ટની સર્જરી કરવામાં આવશે. પંતની રિકવરી અને ત્યારબાદ રિહેબિલિટેશન પ્રક્રિયા પર બોર્ડની ટીમ નજર રાખશે. 30 ડિસેમ્બરે કાર એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત થયા બાદ પંતને પહેલા રુડકીની સક્ષમ હોસ્પિટલમાં ઈમરજન્સી ટ્રીટમેન્ટ આપવામાં આવી. ત્યારબાદથી તેની સારવાર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી.

એક્સિડન્ટમાં પંતને માથા, ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. તેના ઘૂંટણના લિગામેન્ટ તૂટવાની વાત સામે આવી હતી. એવામાં હવે BCCIની મેડિકલ ટીમે વધુ સારવાર માટે તેને દેહરાદૂનથી મુંબઈ એરલિફ્ટ કરાવ્યો છે. ભારતીય બોર્ડે જણાવ્યું કે, પંતની સારવારનો ખર્ચ તેના મેડિકલ ઈન્શ્યોરન્સથી કવર થશે. તેમજ, દેહરાદૂનથી મુંબઈ એરલિફ્ટ કરવાનો ખર્ચ બોર્ડ ઉઠાવશે. BCCIએ આ મામલામાં અત્યારસુધી પંતની સારવાર કરનારી ઉત્તરાખંડની બે હોસ્પિટલોના વખાણ કર્યા છે પરંતુ, પંત આગળની સારવાર પોતાના એક્સપર્ટ્સની દેખરેખમાં કરાવવા માંગતો હતો.

ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત શુક્રવારે સવારે થયેલા રોડ એક્સિડન્ટમાં માંડ-માંડ બચ્યો હતો. તેની મર્સિડિઝ અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. ત્યારબાદ તેમા આગ લાગી ગઈ અને પલ્ટી ગઈ. એક્સિડન્ટ બાદ પંત સળગતી કારની બારીનો કાચ તોડીને બહાર નીકળ્યો હતો. લોકો બચાવવા માટે પહોંચ્યા તો બોલ્યો- હું રિષભ પંત છું. તેને માથા, પીઠ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઝોકું આવવાના કારણે આ દુર્ઘટના થઈ હતી.

આ દુર્ઘટના નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે, પંતની મર્સિડિઝ આશરે 150 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ચાલી રહી હતી. તેણે એક ગાડીને ઓવરટેક કરી. પછી સામે એક ખાડો આવી ગયો. તેને કારણે કાર પાંચ ફૂટ હવામાં ઉછળીને બસ સાથે અથડાઈ પછી ડિવાઈડર સાથે અથડાઈ અને તેમા આગ લાગી ગઈ. કારમાંથી નીકળીને પંત રોડ ડિવાઈડર પર જ બેઠો હતો. દુર્ઘટનામાં પંતને પાંચ જગ્યાએ ઈજાઓ પહોંચી. તેમા માથુ, જમણા હાથનું કાંડુ, ડાબા પગનો ઘૂંટણ અને અંગૂઠો સામેલ છે. ઘૂંટણ, ઘૂંટી અને કાંડાની ઈજા મહત્ત્વની છે, કારણ કે તેનો ઉપયોગ વિકેટ કીપિંગ માટે જરૂરી છે.

પૂર્વ ઈન્ટરનેશનલ વિકેટકીપર નમન ઓઝા કહે છે કે, જો ઘૂંટણના લિગામેન્ટ ફાટી જાય તો રિકવરીમાં સમય લાગે છે. ઘૂંટણની સામાન્ય ઈજામાંથી રિકવરી કરવામાં પણ ઓછામાં ઓછાં 6 અને વધુમાં વધુ 8 અઠવાડિયા લાગે છે. વિકેટકીપિંગમાં દરેક પોઈન્ટ મેટર કરે છે. ઈજા ક્યાંય પણ હોય, પ્રભાવિત કરે છે. પછી ભલે તે આંગળીની જ ઈજા કેમ ના હોય. પંતને તો કાંડુ, ઘૂંટણ અને ઘૂંટીમાં ઈજા થઈ છે. રિકવરી કરવામાં સમય લાગશે. જોકે, તે યુવાન છે... જલ્દી રિકવરી પણ થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.