રિષભ પંત IPL રમી શકશે કે નહીં? થઇ ગયું ફાઇનલ, સૌરવ ગાંગુલીએ આપી માહિતી

દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત IPL 2023માંથી બહાર થઈ ગયો છે. રિષભ પંતની હજુ પણ સારવાર ચાલી રહી છે અને ટીમના ક્રિકેટ ડિરેક્ટર સૌરવ ગાંગુલીએ માહિતી આપી છે કે હવે રિષભ પંત IPLની આગામી સિઝનમાં ભાગ લઈ શકશે નહીં. તેના બહાર નીકળવાના કારણે દિલ્હી કેપિટલ્સ ટીમને મોટો ફટકો પડ્યો છે.

વાસ્તવમાં રિષભ પંતનો 30 ડિસેમ્બરે અકસ્માત થયો હતો. ડિવાઈડર સાથે અથડાયા બાદ તેની કાર પલટી ગઈ હતી અને આગ લાગી હતી. આમાં પંત ખરાબ રીતે ઘાયલ થયો હતો અને હાલમાં તેની મુંબઈમાં સારવાર ચાલી રહી છે. આ જ કારણ છે કે રિષભ પંત હવે IPLની આગામી સિઝનમાંથી બહાર થઈ ગયો છે.

સૌરવ ગાંગુલીની તાજેતરમાં દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેણે માહિતી આપી હતી કે પંત હવે IPLની આ સિઝનમાં રમી શકશે નહીં. સૂત્રો સાથેની વાતચીત દરમિયાન તેણે કહ્યું, રિષભ પંત IPL માટે ઉપલબ્ધ રહેશે નહીં. ટીમ માટે આ એક શાનદાર IPL હશે અને અમે સારું પ્રદર્શન કરીશું પરંતુ રિષભ પંતની ગેરહાજરી ટીમ પર ચોક્કસપણે અસર કરશે.

જ્યારે, આ અગાઉ એવા અહેવાલો પણ આવ્યા હતા કે, રિષભ પંતની ગેરહાજરીમાં ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. એવા પણ સમાચાર છે કે સરફરાઝ ખાન આગામી સિઝનમાં વિકેટકીપરની ભૂમિકા ભજવશે.

વોર્નર ઉપરાંત ભારતીય નામ પર નજર કરીએ તો યુવા ખેલાડી પૃથ્વી શો પણ કેપ્ટનશીપનો દાવેદાર બની શકે છે. ભારતની અંડર-19 ટીમ શૉની કપ્તાનીમાં વર્લ્ડ કપ જીતી ચૂકી છે, તથા તેની પાસે IPLમાં રમવાનો 3-4 વર્ષનો અનુભવ પણ છે.

રિષભ પંતની ઈજા વિશે વાત કરીએ તો તેને રમતના મેદાનમાં પાછો ફરવામાં ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લાગી શકે છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ હવે તેની સારવાર BCCIની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. બોર્ડ દ્વારા કોકિલાબેન હોસ્પિટલમાં તેમના ઘૂંટણનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ પંતનું આ ઓપરેશન સફળ રહ્યું હતું. હવે સૌથી મોટો સવાલ એ છે કે તે ક્યાં સુધી મેદાનમાં પરત ફરશે. તેની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સે પણ ટૂંક સમયમાં નવા કેપ્ટનની જાહેરાત કરવી પડશે.

અહીં તમને જણાવી દઈએ કે, રિષભ પંતને IPL 2021 દરમિયાન દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેની કપ્તાનીમાં ટીમે સારું પ્રદર્શન કર્યું અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી. જોકે દિલ્હીની ટીમ ક્વોલિફાયર મેચમાં KKR સામે હારી ગઈ હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.