રિષભ પંતે સર્જરી બાદ શેર કરી પોતાની પહેલી તસવીર, કહી હૃદયસ્પર્શી વાત

ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત હાલમાં ક્રિકેટિંગ એક્શનથી દૂર છે. રિષભ પંત ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં એક કાર એક્સિડન્ટમાં ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. દર્દનાક અકસ્માત બાદ રિષભ પંતની સારવાર દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં ચાલી રહી હતી, ત્યારબાદ તેને મુંબઇની કોકિલાબેન હૉસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. રિષભ પંતની સર્જરી ગયા મહિને કોકિલાબેન હૉસ્પિટલમાં થઇ હતી. હવે રિષભ પંતે ટ્વીટર પર બે તસવીરો શેર કરી છે.

શેર કરવામાં આવેલી આ બે તસવીરોમાં રિષભ પંત સ્ટીકના સહારે ચાલી રહ્યો છે. તેના પગોમાં પ્લાસ્ટર નજરે પડી રહ્યું છે. રિષભ પંતે આ તસવીરના કેપ્શનમાં લખ્યું કે, ‘એક પગલું આગળ, એક પગલું મજબૂત અને એક પગલું સારું.’ રિષભ પંત સાથે રોડ અકસ્માત એ સમયે થયો હતો, જ્યારે તે પોતાની માતાને મળવા મર્સિડિઝ કાર ચલાવીને પોતાના ઘરે રુડકી જઇ રહ્યો હતો. રિષભ પંતની કાર દિલ્હી-દેહરાદૂન રાજમાર્ગ પર રોડના ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ હતી, ત્યારબાદ તેમાં આગ લાગી ગઇ હતી. ત્યારબાદ રિષભ પંત કોઇક રીતે કારમાંથી નીકળવામાં સફળ થયો હતો.

રિષભ પંત મેદાન પર ક્યારે વાપસી કરશે એ હજુ સ્પષ્ટ નથી, પરંતુ ઇજાના કારણે રિષભ પંત આ વર્ષે ઘણા મહિનાઓ સુધી ક્રિકેટિંગ એક્શનથી દૂર રહે તેવી સંભાવના છે. તે આ વર્ષે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરેલુ સીરિઝથી બહાર રહ્યો હતો. સાથે જ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે પણ તેને ટીમ પસંદ કરવામાં આવ્યો નથી. રિષભ પંત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને એશિયા કપથી પણ બહાર થવાની પૂરી સંભાવના છે. એ જોવાનું રહેશે કે ઓક્ટોબર-નવેમ્બરમાં થનારા વન-ડે વર્લ્ડ કપ માટે તે ફિટ થઇ શકે છે કે નહીં.

રિષભ પંત IPLમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે. એવામાં તે બહાર થતા આગામી સીઝનમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન્સી કોણ કરશે એ જોવું પણ રસપ્રદ રહેશે. ટીમે તેની તપાસ કરવી પડશે. ડેવિડ વોર્નર કેપ્ટન્સીની રેસમાં સૌથી આગળ છે. રિષભ પંતને લઇને દિલ્હી કેપિટલ્સ (DC)ના કોચ રિકી પોન્ટિંગે રસપ્રદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રિષભ પંત જો IPL બહાર રહેવા છતા દિલ્હી કેપિટલ્સના ડગઆઉટમાં રહે છે તો તેમને ખૂબ ખુશી થશે. ખેર હવે જોવાનું એ રહેશે કે રિષભ પંત કેટલા સમયમાં મેદાનમાં વાપસી કરવામાં સફળ રહે છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.