ભારતને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયા સીરિઝમાં નહીં રમે પંત, કોને મળશે એન્ટ્રી

કાર અકસ્માત પછી ઋષભ પંતના લિગામેન્ટ ટીયર અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી, પરંતુ જો BCCIના સૂત્રોની માનીએ તો તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની 4 ટેસ્ટ મેચની સીરિઝમાં રમી શકશે નહીં તેનાથી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે. પરંતુ ટીમ ઈન્ડિયામાં ઘણા યુવાન પ્લેયર્સ છે, જે ટેસ્ટ મેચમાં પંતની જગ્યાએ રમી શકે છે. ઋષભ પંત ક્રિકેટથી લાંબા સમય માટે બહાર થઈ શકે છે અને આ સમયે કોઈ પણ તારીખ કહેવી જલ્દબાજી કહેવાશે.

નવી પસંદગી સમિતી માટે બોર્ડર ગાવાસ્કર ટ્રોફી માટે 2 વિકેટકીપર બેટ્સમેનની પસંદગી સૌથઈ મોટી ચેલેન્જમાંથી એક છે. ભારતીય ટેસ્ટ વિકેટકીપરના સ્થાન માટે અચાનક દોડ શરૂ થઈ જશે અને એ જોવું દિલચસ્પ હશે કે નવ ફેબ્રુઆરીથી નાગપુરમાં થનારી ટેસ્ટ સીરિઝમાં રમવા માટે 3 ખેલાડીઓ કેએસ ભરત, ઉપેન્દ્ર યાદવ અને સફેદ બોલનો એક્સપર્ટ ઈશાન કિશનમાંથી કોને પસંદ કરવામાં આવે છે. ઋષભ પંત શુક્રવારને સવારે દિલ્હીથી રુડકી જતા પોતાની મર્સીડિઝ કાર પર નિયંત્રણ ગુમાવી બેઠો હતો, જેનાથી કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી.

તેનો હાલમાં મેક્સ દેહરાદૂનમાં સારવાર ચાલી રહી છે. જોકે એક્સ-રે અને સીટી સ્કેનના રિપોર્ટમાં ઘણા ફ્રેક્ચર, માથા પર અને કરોડરજ્જુમાં કોઈ ઈજા થઈ નથી. પરંતુ ઘૂંટણ અને લિગામેન્ટ ટીયરના કારણે તે નિશ્ચિત રૂપથી ઘણા સમય સુધી ક્રિકેટમાંથી બહાર રહેશે અને આ સમય બે થી છ મહિના સુધીનો હોઈ શકે છે, જે લિગામેન્ટ ટીયરના ગ્રેડ પર નિર્ભર કરે છે. BCCIના સૂત્રોના એક સૂત્રએ ગોપનીયતાની શરત પર પીટીઆઈને કહ્યું છે- હજુ ઘણો સોજો છે, જેનાથી ટખના અને ઘૂંટણનું પણ MRI કરવામાં આવશે. એક વખત તે યાત્રા માટે ફિટ થઈ જાય છે તો મુંબઈ આવશે, જ્યાં તે બોર્ડની પેનલમાં સામેલ ડૉક્ટર દિનશા પારદીવાલાના નિરીક્ષણમાં થશે.

નવી પસંદગીની સમિતિ પાસે 3 ઓપ્શન રહેશે. ક્યાં તો ભારત-એના 2 વિકેટ કીપર કેએસ ભરત અને ઉપેન્દ્ર મુખ્ય ટીમમાં સામેલ થશે અથવા પછી વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન ટીમમાં જગ્યા બનાવશે. કેએસ ભરત ઘણો જ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે પહેલા પણ ઘણી ટુરમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો બની ચૂક્યો છે. તેની વિકેટકીપીંગ સ્કીલ પણ કમાલની છે. તે IPLમાં RCB ટીમને ઘણી મેચ જીતાવી ચૂક્યો છે.

About The Author

Related Posts

Top News

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે

ભારત પર 50 ટકા ટેરિફ હોવા છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ વધારવાની વાત કરી છે. જો...
World 
ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.