કોહલી-રોહિતના આધારે વર્લ્ડ કપનું સપનું પૂરું કરવા ઈચ્છો છો તો એવું નહીં થાયઃ દેવ

શ્રીલંકા સામે શરૂ થનારી T20 સીરિઝને એક બાજુથી ટ્રાંજિશન પીરિયડની શરૂઆત માનવામાં આવી રહી છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા આ મિશનને જીતવા માટે ઉતરશે. ટીમ ઈન્ડિયાની સામે વન-ડે વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ પણ છે, આવી સ્થિતિમાં હવે આ મિશન BCCI અને ખેલાડીઓની નજરમાં છે.

પૂર્વ ક્રિકેટ કેપ્ટન કપિલ દેવે આ દરમિયાન વર્લ્ડ કપ મિશનને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે જો વિરાટ કોહલી કે રોહિત શર્માના આધારે જ વર્લ્ડ કપનું સપનું પૂરું કરવા ઈચ્છો છો તો તેવું નહીં થાય, કારણ કે માત્ર એક-બે ખેલાડીઓ જ વર્લ્ડ કપ જીતાડી શકશે નહીં.

કપિલ દેવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો તમારે વર્લ્ડ કપ જીતવો હોય તો કોચ, સિલેક્ટર અને કેપ્ટને કેટલાક આકરા નિર્ણયો લેવા પડશે. અહીં અંગત ફાયદા પાછળ મૂકી અને ટીમ માટે વિચારવું પડશે. વિરાટ, રોહિત અથવા 2-3 ખેલાડીઓ પર આધાર રાખીને વર્લ્ડ કપ જીતવા માંગતા હોવ તો તે ક્યારેય નહીં થાય. તમને ટીમ પર વિશ્વાસ હોવો જોઈએ, શું આપણી પાસે આવી ટીમ છે. હા, શું આપણી પાસે મેચ વિનર છે, તો બિલકુલ છે. તમને તમારી ટીમ પર વિશ્વાસ હોવો જોઈએ.

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ લગભગ એક દાયકાથી કોઈ આઈસીસી ટ્રોફી જીતી નથી, તે જ કારણ છે કે બધાની નજર વર્લ્ડ કપ પર છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે ICC ટ્રોફી 2013માં જીતી હતી, જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી તેમના નામ પર કરી હતી. વર્ષ 2022ના T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં હારી ગઈ હતી.

હવે T20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને હાર્દિક પંડ્યાને નવા T20 કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે, સાથે જ તે T20 ટીમમાંથી સીનિયર ખેલાડીઓને છોડવાની તૈયારી કરી રહ્યો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા વરિષ્ઠ ખેલાડીઓને શ્રીલંકા સામેની T20 સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.