એશિયા કપ અગાઉ રોહિત ફેમિલી સાથે તિરૂપતિ બાલાજી મંદિર પહોંચ્યો, જુઓ વીડિયો

એશિયા કપની શરૂઆત 30 ઑગસ્ટથી થઈ રહી છે. જો કે, ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 2 સપ્ટેમ્બરથી કરશે. ભારત અને પાકિસ્તાનની ટીમો 2 સપ્ટેમ્બરના રોજ સામસામે થશે. તો આ ટૂર્નામેન્ટ અગાઉ ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પોતાના પરિવાર સાથે તિરૂપતિ બાલાજી મંદિર પહોંચ્યો હતો. આ દરમિયાન ભારતીય કેપ્ટન સાથે પત્ની રીતિકા સજદેહ અને દીકરી પણ નજરે પડી. સોશિયલ મીડિયા પર રોહિત શર્માનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

એ સિવાય યુઝર્સ કમેન્ટ્સ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત શર્માને જોવા માટે ફેન્સ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ગત દિવસોમાં વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા સાથે ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરે પહોંચ્યો હતો. હવે રોહિત શર્મા તિરૂપતિ બાલાજી મંદિર પહોંચીને આશીર્વાદ લીધા છે. તો આ દરમિયાન ભારતીય ટીમનો નિયમિત કેપ્ટન રોહિત શર્માએ યુવા બેટ્સમેન તિલક વર્માને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

રોહિત શર્માએ કહ્યું કે, હું તિલક વર્માને છેલ્લા લગભગ 2 વર્ષથી જોઉં છું, તે શાનદાર ખેલાડી છે, ખાસ કરીને આ ખેલાડીમાં રન બનાવવાની ભૂખ છે, જે એક ક્રિકેટર તરીકે ખૂબ જ જરૂરી છે. તિલક વર્મા જે ઉંમરમાં છે, તે તેનાથી ઘણો બધો પરિપક્વ છે. તે પોતાની બેટિંગને સારી રીતે જાણે છે. ભારતીય કેપ્ટન કહે છે કે જ્યારે મેં તિલક વર્મા સાથે વાત કરી તો એ સમયે સમજી ગયો કે આ ખેલાડીને પોતાની બેટિંગ સ્કિલ્સ ખબર છે. આ ખેલાડી સારી રીતે જાણે છે કે સમયની નજાકત શું છે? ક્યારે કયા પ્રકારે રમવાનું છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે અને રોહિતી શર્મા અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી આ T20 ટીમના હિસ્સો નથી. વેસ્ટ ઇન્ડીઝ સામેની 5 મેચોની T20 સીરિઝમાં શરૂઆતી 2 મેચમાં હાર મળ્યા બાદ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી છે. અત્યારે બંને ટીમો 2-2 થી સીરિઝમાં બરાબરી પર ઊભી છે અને આજે છેલ્લી મેચ છે. આજે જે પણ મેચ જીતશે તે આ સીરિઝ પર કબજો કરી કેશે. વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ બાદ ભારતીય ટીમ 3 T20 મેચોની સીરિઝ માટે આયરલેન્ડ જશે. રોહિત અને વિરાટ કોહલી સહિત ભારતીય ટીમના સીનિયર ખેલાડીઓને એશિયા કપ અને વન-ડે વર્લ્ડ કપ અગાઉ આરામ આપવામાં આવ્યો છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.