રોહિતે 1 સદી મારીને ધ્વસ્ત કર્યા અનેક કીર્તિમાન, ગાવસ્કર-સેહવાગને છોડ્યા પાછળ

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આજે હિટમેન અંદાજમાં દેખાયો. રોહિત શર્માએ આ ટેસ્ટના પહેલા જ દિવસે જે પ્રકારનું ફોર્મ બતાવ્યું હતું, તેના પરથી જ અંદાજો થઈ ગયો હતો કે તે મોટી ઈનિંગ રમાવાનો છે. પહેલા દિવસે નોટઆઉટ રહ્યા બાદ રોહિત શર્માએ બીજા દિવસની ઈનિંગનો આગાઝ ત્યાંથી જ કર્યો, જ્યાં પહેલા દિવસે પૂર્ણ કર્યો હતો. હિટમેને આજે પોતાની સદી 171 બોલમાં પૂરી કરી. દરમિયાન તેણે એક જ સદી ફટકારીને ઘણા કીર્તિમાન પણ તોડવાનું કામ કર્યું.

જ્યાં એક તરફ સચિન તેંદુલકરની બરાબરી કરી લીધી છે, તો બીજી તરફ વીરેન્દ્ર સેહવાગ અને પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરને પાછળ છોડી દીધા છે. રોહિત શર્માની આ સદી એ માહોલમાં આવી છે, જ્યાં પિચને લઈને સતત કિચ કિચ કરવામાં આવી રહી હતી અને ઓસ્ટ્રેલિયાનો કોઈપણ ખેલાડી 50ના સ્કોર સુધી પહોંચી શક્યો ન હતો. રોહિત શર્માએ આજની મેચમાં સેન્ચ્યુરી લગાવીને કયા-કયા કીર્તિમાન પોતાના નામે કર્યા છે, તે અંગે અહીં માહિતી આપવામાં આવી છે.

વનડેની વાત કરીએ કે ટેસ્ટની, રોહિત શર્મા પહેલા ટીમ ઈન્ડિયા માટે મિડલ ઓર્ડરમાં રમતો હતો. ઓપનર બન્યા બાદ રોહિત શર્માએ એક એક કરીને ઘણા કીર્તિમાન તોડ્યા છે અને નવા રેકોર્ડ રચવાનું કામ કર્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર બન્યા બાદ રોહિત શર્મા અત્યારસુધી 31 ઈનિંગ્સ રમી ચુક્યો છે. તેમા તેના નામે છ સદી અને પાંચ અડધી સદી નોંધાયેલી છે.

તેમજ, વનડેની વાત કરવામાં આવે તો અહીં ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં હિટમેન અત્યારસુધી 154 ઈનિંગ્સમાં બેટિંગ કરી ચુક્યો છે. તેમા તેના નામે 28 સદી અને 35 અડધી સદી છે. T20ની 113 ઈનિંગ્સમાં રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરી છે. જેમા તેના નામે ચાર સદી અને 24 અડધી સદી છે. જોકે, આજની જ મેચની વાત કરીએ તો રોહિત શર્મા 120 રન બનાવીને આઉટ થઈ ગયો. ટી બ્રેક સુધી તે બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ, ટી બ્રેક બાદ પહેલી ઓવર લઈને કેપ્ટન પેટ કમિન્સ પોતે આવ્યો અને તેણે રોહિતને ક્લીન બોલ્ડ કરી દીધો.

રોહિત શર્મા અત્યારસુધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણેય ફોર્મેટમાં ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં નવ સદી મારી ચુક્યો છે. એટલી જ સદી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સચિન તેંદુલકરે પણ મારી હતી. પરંતુ, અહીં સુધી પહોંચવા માટે રોહિત શર્માએ 49 ઈનિંગ્સ લીધી, જ્યારે સચિન તેંદુલકરે 62 ઈનિંગ્સ સુધી રાહ જોવી પડી હતી. એટલે કે આ મામલામાં રોહિત શર્મા અને સચિન તેંદુલકર બરાબરી પર આવી ગયા છે.

વધુ એક સદી ફટકારતા જ તે સચિન તેંદુલકરને પાછળ છોડી દેશે. દરમિયાન તેણે સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગને પાછળ કરી દીધા છે. ટેસ્ટ ક્રિકેટની પહેલી 31 ઈનિંગ્સમાં ઓપનિંગ કરતા રોહિત શર્માના નામે હવે છ સદી થઈ ગઈ છે. આ પહેલા સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગે પાંચ-પાંચ સદી ફટકારી હતી. એટલે કે અહીં રોહિત શર્મા આ બંને દિગ્ગજો કરતા આગળ નીકળી ગયો છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.