રાહુલ પર ટીમને કેમ છે આટલો બધો ભરોસો? કેપ્ટન રોહિત પાસે જ જાણી લો

ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં ભારતમાં છે અને  મેચોની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. ભારતીય ટીમે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ જીતીને સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટમાં પણ કે.એલ. રાહુલના ખરાબ ફોર્મ બાદ પણ ભારતીય કપ્તાન રોહિત શર્માને તેના પર પૂરો ભરોસો છે. રોહિત શર્માએ સંકેત આપતા કહ્યુ કે, જો કોઇ ખેલાડીમાં ક્ષમતા છે તો તે ટીમમાં લાંબા સમય સુધી રમશે. જાન્યુઆરી 2022થી કે.એલ. રાહુલે માત્ર એક અડધી સદી બનાવી છે, જ્યારે તેની છેલ્લી ટેસ્ટ સેન્ચુરી ડિસેમ્બર 2021માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આવી હતી.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 17 રન પર આઉટ થઇ ગયો અને બીજી ઇનિંગમાં માત્ર 1 જ રન બનાવી શક્યો. તો નાગપુર ટેસ્ટમાં માત્ર 20 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. શુભમન ગિલના રહેતા કે.એલ. રાહુલ પર પોતાની જગ્યા બનાવી રાખવાનો દબાવ ખૂબ વધી ગયો છે. રોહિત શર્માએ કહ્યું કે, રાહુલની બેટિંગ બાબતે ઘણી વાત થઇ છે, પરંતુ ટીમ મેનેજમેન્ટના રૂપમાં અમે હંમેશાં કોઇ પણ વ્યક્તિની ક્ષમતા જોઇએ છીએ, ન કે માત્ર ભૂતકાળમાં કરવામાં આવેલા પ્રદર્શનને જોઇએ છીએ.

રોહિતે કહ્યું કે, જો એ વ્યક્તિમાં ક્ષમતા છે તો તેને એક ચાંસ મળશે. ઇંગ્લેન્ડમાં રમવું કોઇ સરળ કામ હોતું નથી અને તેણે શાનદાર પ્રદર્શન કર્યું. અહીં સુધી કે સેન્ચુરિયનમાં પણ શાનદાર પ્રદર્શન હતું. બંને પ્રદર્શનોના કારણે ભારતે બંને મેચ જીતી હતી. છતા તેની ક્ષમતા બાબતે વાત કરવામાં આવી છે, પરંતુ અમારી તરફથી એ સ્પષ્ટ હતું કે તેને મેદાન પર પોતાની રમત રમવાની જરૂરિયાત છે. રોહિત શર્માએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તેમાં કોઇ શંકા નથી કે જ્યારે તમે આ પ્રકારની પીચો પર રમી રહ્યા છો તો તમારે રન બનાવવાની પોતાની રીત શોધવાની જરૂરિયાત છે.

તેણે આગળ કહ્યું કે, અમે એ જોતા નથી કે કોઇ ખેલાડીના રૂપમાં શું કરી રહ્યું છે. ભારત દ્વારા 4 મેચોની સીરિઝમાં 2-0ની લીડ હાંસલ કરી લેવા અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને યથાવત રાખવા માટે બીજી ટેસ્ટ 6 વિકેટથી જીત્યા બાદ હેડ કોચ રાહુલ દ્રવિડે બ્રોડકસ્ટર્સ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું કે, રાહુલને ટીમ મેનેજમેન્ટથી સમર્થન મળતું રહેશે. મને લાગે છે કે તેણે પોતાની પ્રતિક્રિયાઓ પર ભરોસો કરવાની જરૂરિયાત છે. એ માત્ર એક ફેઝ છે, તે અમારા સૌથી સફળ વિદેશી બેટ્સમેનોમાંથી એક રહ્યો છે. તેણે દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં સદી બનાવી છે, અમે તેનું સમર્થન કરવાનું ચાલુ રાખીશું.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.