ફાઇનલમાં હાર બાદ છલકાયું કેપ્ટન રોહિતનું દર્દ, જણાવ્યું ક્યાં થઈ ચૂક

ભારતીય ટીમનું વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી એક વખત તૂટી ગયું. હાર બાદ ભારતીય ટીમના ઘણા ખેલાડી દુઃખી નજરે પડ્યા. રોહિત શર્મા મેદાનથી જતી વખત ઈમોશનલ થઈ ગયો. વિરાટ પણ હારનું દુઃખ ન છુપાવી શક્યો અને મોહમ્મદ સિરાજને તો બૂમરાહે સંભાળવાનો પ્રયાસ કર્યો. કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે મળેલી 6 વિકેટે હાર બાદ કહ્યું કે, વર્લ્ડ કપ ફાઇનલમાં બેટિંગ સારી ન રહી, જેના કારણે પરિણામ પક્ષમાં ન રહ્યું, પરંતુ તેને આખી ટીમ પર ગર્વ છે.

રોહિત અને ભારતીય ટીમના ખેલાડીઓના ચહેરાઓ સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકોના ચહેરાઓ પર પણ વર્લ્ડ કપ ટ્રોફી જીતતા ચૂકી જવાની નિરાશ સ્પષ્ટ નજરે પડી. રોહિતે મેચ બાદ જણાવ્યું કે, ભારતીય ટીમથી આખરે ક્યાં ચૂક થઈ. મેચ બાદ રોહિતે કહ્યું કે, મેચનું પરિણામ ભલે તેમના પક્ષમાં ન રહ્યું, પરંતુ અમે જાણીએ છીએ કે આજે અમારો સારો દિવસ રહ્યો નથી. મને ટીમ પર ગર્વ છે. ફાઇનલમાં પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ સીમિત 50 ઓવરમાં 240 રન જ બનાવી શકી. આ લક્ષ્યનો બચાવ કરવો મુશ્કેલ હતો.

 
 
 
View this post on Instagram

A post shared by ICC (@icc)

રોહિતે કહ્યું કે, ઈમાનદારીથી કહું તો જો સ્કોરમાં 20-30 રન જોડતા તો સારું થતું, જ્યારે કેએલ રાહુલ અને વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા હતા એ સમયે લાગી રહ્યું હતું કે અમે 270-280 રનાં સ્કોર સુધી પહોંચી જઈશું, પરંતુ અમે સતત વિકેટ ગુમાવી દીધી. ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવ્યા બાદ મોટી પાર્ટનરશિપ કરી. 240 રન બનાવ્યા બાદ અમે ઇચ્છતા હતા કે અમારા બોલર વિકેટ લે, પરંતુ શ્રેય ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુસેનને જાય છે. જેમણે અમને રમતથી પૂરી રીતે બહાર કરી દીધા.

રોહિત શર્માએ ટોસ ગુમાવ્યા બાદ કહ્યું હતું કે જો તે ટોસ જીતતો તો બેટિંગનો નિર્ણય લેત. મને લાગ્યું હતું કે દિવસના અજવાળામાં બેટિંગ કરવા માટે એ સારી વિકેટ છે. અમે જાણતા હતા કે દિવસે એ સારી હશે, અમે તેના પર કોઈ બહાનું બનાવવા માગતા નથી. અમે સારી બેટિંગ ન કરી, પરંતુ મોટી પાર્ટનરશિપ કરવા માટે તેમના હેડ અને લાબુસેનને શ્રેય જાય છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે, મને લાગે છે કે અમે અંતિમ મેચ માટે પોતાનું બેસ્ટ પરફોર્મન્સ બચાવી રાખ્યું હતું. કેટલાક ખેલાડીઓએ મોટી મેચમાં સારું પ્રદર્શન દેખાડ્યું. આજે અમે વિચાર્યું હતું કે લક્ષ્યનો પીછો કરવો પડશે અને એ સરળ નહીં હોય. પીચ ખૂબ ધીમી હતી, સ્પિન થઈ રહ્યું નહોતું, અમે યોગ્ય લેન્થ પર બોલિંગ કરી.  

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.